SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને કે તમારે મંત્રાદિ ઉગ હું તો એના થશે.” પછી સર્ગ ૮ - ] ઈ ચક્રીપાસે આવીને યુક્તિવડે પુત્રમૃત્યુને જણાવેલ વૃત્તાંત. ર૭૫ તમેજ સર્વ દેવતામય છે, તેથી તમે મારી રક્ષા કેમ કરતા નથી ? જયારથી શ્રી અને જિતનાથે વ્રત ગ્રહણ કર્યું, ત્યારથી સૂર્યવગર ચંદ્રની જેમ આ લેમાં તમેજ એક પાલક છે.” આવાં તેનાં વચન સાંભળી પોતાનામાં કાંઈક દોષ આવ્યું હશે, એવી ચિંતા કરીને ખેદ પામતા સગરરાજાએ માણસ મોકલી તેને પોતાની પાસે બેલાગે. ચક્રવર્તીનું દર્શન થતાં તે બાળકના શબને રાજાની આગળ મૂકી બ્રાહ્મણના વેશમાં ઈદ્ર મહાકરૂણ સ્વરે રૂદન કરવા માંડ્યું, જેથી સર્વ સભાજને પણ દિલગીર થઈ ગયા. રૂદનને અંતે ચક્રવર્તીએ તેને રૂદન કરવાનું કારણ પૂછયું એટલે તે બેલ્યો “હે સ્વામી! એકના એક પુત્રવાળા મને જે દુઃખ થયું છે, તે હું તમને કેટલુંક કહું, આજે રાત્રે આ મારો લાડકવા પુત્ર સુતા હતા, ત્યાં અકરમાત કોઈ મહાર સર્ષ આવીને તેને કરડ્યો. પણ તેમાં તે સપને, બાળકને, કે મારે જરા પણ દોષ નથી, પણ શ્રી જિનેશ્વરરહિત એવા આ દેશને કે તમારે દોષ જથાય છે. માટે હે રાજા! ગમે તે મંત્રમંત્રાદિ ઉપાય કરીને આ મારા બાળપુત્રને સાવધાન કરે, નહીં તો એના મૃત્યુનો દોષ તમને લાગશે અને મારાં કુળને ક્ષય થશે.” પછી સગરરાજાએ કેટલાએક માંત્રિકોને અને વૈદ્યોને બોલાવ્યા. તેઓએ અનેક ઉપાયે કરી જોયા, પણ બાળકને મૃત્યુ પામેલે જાણે પરસ્પર વિચારીને તેઓ ચક્રીને કહેવા લાગ્યા “હે સ્વામી! આ બાળક મંત્ર અને ઔષધિ વિગેરેના ઉપાચોથી સજીવન થવા અસાધ્ય છે, પણ જેનાં ઘરમાં પૂર્વ કોઈ મરણ પામ્યું ન હોય તેનાં ઘરમાંથી જે રક્ષા લાવવામાં આવે છે તેથી આ સજીવન થાય તેમ છે.” તેઓનાં આવાં વચન સાંભળી ચક્રીએ તેવી રક્ષા લાવવાની સર્વ રાજાઓને આજ્ઞા કરી. ઇંદ્ર પણ ક્રિય રૂપવડે ઘરે ઘરે જવા માંડયું. રાજપુરૂષો જેનાં જેનાં રસડામાંથી ભસ્મ લેવા જતા તેઓને એવું પૂછતા કે તમારાં કુળમાં કોઈ મૃત્યુ પામેલ છે કે નહીં? તેના ઉત્તરમાં પિતા, માતા, બહેન અને બંધુ વિગેરેનાં મરણ તેમનાં મુખેથી સાંભળી, તેનાં ઘરની ભરમ છેડી બીજે ઘેર જતા હતા. એવી રીતે આખા નગરમાં ફરતાં કોઈ પણ ઠેકાણેથી તેવી ભસ્મ મળી નહીં એટલે તેઓ પાછા ફરીને રાજા પાસે આવ્યા. ઈંદ્રબ્રાહ્મણ પણ અતિ દુઃખી થઈને પાછો આવે. પછી ચક્રવર્તીએ કહ્યું “હે વિપ્ર ! મારા ઘરમાં કોઈનું મૃત્યુ થયેલું નથી, તેથી મારા રસોડામાંથી રક્ષા લાવો.” ઈંદ્ર ચકીનાં ઘરમાં ભરમ લેવા જતાં ચક્રવર્તાની માતા યશોમતીને પૂર્વવત પૂછયું, એટલે તેણે કહ્યું, “આ ઘરમાં ચક્રવર્તીના પિતા સુમિત્રનું મરણ થયેલું છે. તેથી તે ભસ્મ છોડી ઈંદ્ર સગરરાજાની પાસે આવી તેમના પિતાના મરણની વાર્તા કહી. તે વખતે પિતાને સમય આવ્યે જાણે વૈદ્યો મનમાં હર્ષ પામીને કહેવા લાગ્યા, “એવી ભરમ મળ્યા વગર બીજા અનેક ઔષધે For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy