SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૭ મો. ] દંડવીર્ય કાઢેલો શ્રી શત્રુંજયનો સંઘ. ૨૪૯ " ' વચન મેક્લ્યા શ્રાવકના વેષ લઇ અહીં મને પવિત્ર કરવા આવનાર તમે કાણુછે ? મારી ઉપર કૃપા કરી જે હા તે પ્રગટ થાએ. હે દેવ ! હવે મને વિશેષ ખેદ પમાડવાને તમે ચાગ્ય નથી. જો કાઈ પણ મનુષ્ય શ્રાવકને વેષ ધરીને આવે તે તેને હું અવશ્ય નમસ્કાર કરૂંછું, એવા મારા નિશ્ચય છે. જો શ્રીજિનેશ્વરમાં, ધર્મમાં, ગુરૂમાં, કે તમારામાં મારી ભક્તિ હૈાય તે તમે પેાતાનું સ્વરૂપ પ્રગટ કરી મારા પુણ્યને સફળ કરો. ' દંડવીર્યનાં આવાં ભક્તિએ ભરપૂર વચના સાંભળી ઇંદ્ર હૃદયમાં પ્રીતિ પામી તેની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. પછી તેના મનમાં ખેદ થચેલા જાણી ઈંદ્રે તત્કાળ વેગથી માયારૂપ છેડી દીધું, અને પેાતાનું સહજ સ્વપ ધારણ કર્યું. ઇંદ્રને જોતાંજ દંડવીર્ય વિમય પામી હર્ષથી તેને નમી પડ્યો. તેને હાથવડે ઊભા કરી ઇંદ્રે એહથી આલિંગન કર્યું, પછી બાલ્યા “ હે મહાસત્ત્વ ! તમને ધન્ય છે. તમે ચરમભવી છે. તમારા જેવા સુપુત્રને તેમના કુળમાં ઉત્પન્ન થયેલા જોઈ મને શ્રીઆદિનાથનું મરણ થાયછે. એક વખતે હું સુધર્માંસભામાં બેઠા હતા તે વખતે તેવા ગુણાશ્રય પ્રભુનું મને સ્મરણ થયું. પછી ભરત અને સૂર્યયશા પ્રમુખ તેમને આશ્ચર્યકારી વંશ પણ સાંભરી આવ્યા. પછી હાલ તમને તેમની રાજ્યગાદીપર જોતાં હું અહીં પરીક્ષા કરવા આન્યા. ગુણેાવડે તમારા પૂર્વજોથી તમે અધિક છે. પૂર્વે અંગીકાર કરેલાં કાર્યને તમે ખરીરીતે પાળનારા છે. તમારા જેવા કુળપુત્રથી પ્રભુને વંશ સાંપ્રતકાળે પણ દીપેછે. જે પુત્રો વંશની સ્થિતિને, ગુણને, ધર્મને, કીર્ત્તિને અને અખંડિત રાજ્યલક્ષ્મીને વૃદ્ધિ પમાડેછે, તેજ ખરેખરા પુત્રો છે. તમારા જેવા પુત્રથી ભરતનું કાર્ય આજે પૂજાય છે, તેથી તમે હવે શકું. જયની યાત્રા અને તીર્થોદ્વાર કરો. હું દેવતાઓની સાથે તમને ત્યાં આવીને સહાય કરીશ; માટે શ્રાવકાનાં પૂજનની જેમ હવે તીર્થયાત્રા માટે ત્વરા કરો, ’ ઇંદ્રનાં આવાં વચન સાંભળી દંડવીર્ય આનંદથી બેાક્લ્યા, “ હે ઇંદ્ર ! તમે મને બહુ શ્રેષ્ટ આદેશ કર્યો. તમે મારે ભરતસમાન છે. તમારા જેવા કાઈ શ્રીઋષભવામીના ભક્ત નથી. વળી ભરતના ઉપર તમારા પૂર્ણ સ્નેહ છે કે જેથી તમે અહીં આન્યા છે. હવે હું યાત્રાને માટે સંધ લઇને જઉંછું. આપણેા પુનઃ સમાગમ હવે પુંડરીકગિરિપર થશે. ” પછી સંતુષ્ટ થયેલા ઇંદ્રે દંડવીર્યરાજાને બાણસહિત ધનુષ, દિગ્ન્ય રચ, હાર અને નિર્મલ કુંડલ ભેટ કર્યાં, અને રાજા દંડવીર્યે યાત્રાને માટે ભંભાનાદ કરાવ્યા. એ ભંભાનાદથી આકર્ષાયલા લેકે। કૃતના આમંત્રણની જેમ પેતપેાતાનાં વાહન લઇને તત્કાળ ત્યાં એકઠા થઈ ગયા. દંડવીર્યરાજાએ સ્નાનવડે શરીરને પવિત્ર કરી શુદ્ધ વસ્ત્ર પહેરી શ્રીઅદ્વૈતબિંબને નમીને શુભ દિવસે લંકાની For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy