SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. આ પ્રમાણે સાત માસ સુધી અતિ દુસહ સંગ્રામ ચાલ્યું. અને બંને સૈન ન્યમાં મળીને દશકોટિ માણસો ક્ષય પામ્યાં. તે સમયે રાજાઓને હાથીનાં વાહનેને છોડાવતો અને તે રૂપે ગર્જના કરતે કાજળના જે કાળા મેઘ ચડી આવ્યું. તત્કાળ તેણે મોટી ધારાથી વર્ષવા માંડયું, એટલે જેઓ શૂર, રણધીર, અને કદિ પરાક્ષુખ નહીં થાય તેવા હતા તેઓ પણ રણમાંથી ખસી ગયા. મુશળના જેવી જળધારાવડે પીડાતા રક્ષણરહિત વીરએ પિતાના બચાવ માટે ઢાલે મસ્તકપર રાખવા માંડી. બંને સેના રણમાંથી નિવૃત્ત થઈ અને ઊંચા પ્રદેશમાં કરેલી ઘાસની ઝુંપડીઓનો આશ્રય કરીને ઊભી રહી. વહેતા નીરેએ પૃથ્વીને તમામ કાદવ કાઢી નાખે, જેથી ફરીવાર તેમાં દુર્વાદિકના અંકુરો ઉગી શક્યા નહીં. પિતાને પતિ મેઘ પ્રાપ્ત થતાં પૃથ્વીએ રાગથી રોમાંચિત થઈને લીલેતરીના મિષથી નીલી સાડી ધારણ કરી. વરસાદે પિતાના પ્રસરતા જળવડે થોડા વખતમાં ખાડા, ખીણ, દર, નદી, ધરા અને તળાવોને ભરપૂર કરી દીધાં. નિરંતર જળને વરસતા વરસાદથી એટલું બધું જળ વરસ્યું કે સર્વત્ર જળમય થઈ ગયું, તેમાં પાત્ર અપાત્રને અવિચાર એજ યુક્તિવાળો હેતુ છે. જેમ રાગ દ્વેષરૂપ શત્રુઓ ધર્મને અને દુર્જને સાધુ પુરૂપિને ઉપદ્રવ કરે તેમ મચ્છર ડાંસ અને કુંતિઓ સૈન્યને અતિ ઉપદ્રવ કરવા લાગ્યાં. જેમ જેમ રાત્રિએ મેઘ અતિશય ગાજવા લાગે તેમ તેમ કામદેવ, વિયેગી જનોની ઉપર કોપ કરવા લાગે. તેઓનાં મનમાં ગાજતા વરસાદે કામદેવરૂપ અને ઝિને તેવીરીતે સિંચન કર્યો કે જેથી તે તપેલા તેલની જેમ હુંફાડાની સાથે પ્રજવલિત થવા માંડ્યો. કઈ જનસભામાં ઘણું માણસ સમક્ષ પ્રિયાને સંભારી રેવા લાગે, તે વખતે ગાજતા મેધે તેને અલાપ કર્યો. જેઓ તીર્ણ શસ્ત્રના ઘાતને કમળના જેવા ગણતા હતા, તેઓને પણ તે સમયે કામદેવનાં પુષ્પરૂપ બાણ અતિ દુસહ થઈ પડ્યાં. કેટલાક સૈનિકે નીલી કાંચલી અને ઊંચા પયોધરને ધારણ કરતી અંતરીક્ષ સ્થળીને જોઈને પોતાની નીલ સાડીમાં રહેલી ઊંચા સ્તનવાળી કાંતાને સંભારવા લાગ્યા. “હે પ્રિયા ! મેઘ જેમ જેમ ગાજે છે, તેમ તેમ મારા અંતઃકરણમાં કામદેવ ફુરાયમાન થાય છે; ભૂમિ રોમાંચની જેમ તૃણાંરિવડે વ્યાપ્ત થઈ ગઈ છે તે મને કાંટાની જેવી ખુંચે છે; હે ભામિનિ ! આ ઝડીને પવન અગ્નિના જે જીવિતને હરનાર દુસહ લાગે છે, આ વષોકાળ વિતુરૂપ ખગથી મને બીવરાવે છે, જળ અંગને બાળે છે અને કામદેવ બાણોથી પીડે છે. તે છતાં હે ચંડિ! તું નિર્દય થઈને વૃથા કેપ શા માટે કરે છે ?” આ પ્રમાણે કોઈ સુભટ રાત્રે સ્વમામાં આવેલી પિતાની સ્ત્રીને અશ્રુ લાવી ચરણમાં પ્રણામ કરીને ઉપાલંભ આપતો હતો. કાંતાને વિયેગી કઈ વીર પીયુ પીયુ” એવા ચાત૫ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy