SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લેા. જેના કરતા, તીક્ષ્ણ અત્રવાળા દંતરૂપ મુશળથી શત્રુઓનું ખંડન કરવામાં કુશળ હાથીએ ચેાજ્ઞાની સાથેજ તૈયાર થઇને ચાલવા લાગ્યા. ઊંચા, તરંગ જેવા ચપળ, સરલ, વિશાળ ગ્રીવાવાળા, પેાતાના અંગપર લાગતા પવન સાથે પણ દ્વેષ કરતા, ત્વરાવાળા, તેજવી, પ્રત્યેક અંગ પર પ્રગટ અનેક શુભ લક્ષણાવાળા, અને શુદ્ધ એલાઢમાં ઉત્પન્ન થયલા ધાડાએ પણ વેગથી દેાડવા લાગ્યા; ભત્તત્ત્તવાળી પૃથ્વીપર ગાજતા ચક્રોની ધારાથી જાણે સીમંત' કરતા હાય તેવા દેખાતા, સુવર્ણના બાણાથી મુદ્રિત થયેલા, ઢાડતા અશ્વોએ ખેંચેલા, અને ચાલતા મહેલ હાય તેવા જણાતા મજબૂત રથા ખતરધારી મહાયાહ્ના સહિત ચાલવા લાગ્યા. પછી બન્ને સૈન્યની આગળ ચાલનારા છડીદાર પુરૂષા ગુણને અનુસરીને પાતપાતાના સૈનિકાને બેલાવતા આ પ્રમાણે કહેવા લાગ્યા. “ હૈ રણુાંગણમાં શૂરવીર પુરૂષા ! આપણા સ્વામી તમને અમારે મુખે આજ્ઞા કરે છે કે આજે રણભૂમિમાંથી જયલક્ષ્મીને લાવે. હું માનુંછું કે પૂર્ણ વીર્યવડે શે।ભતા, ગુણાથી અલંકૃત અને સત્કુળમાં ઉત્પન્ન થયેલા તમેા જરૂર જયલક્ષ્મીસાથે જોડાશે. યુદ્ધભૂમિમાં જઈને તમારે શત્રુઓની ઉપર એવી પ્રવીણતા બતાવવી કે જેથી તમારા ઉત્તમ કુળ, તમારા સ્વામી અને તમારી વીરતા લાજ પામે નહીં. ” આવાં છડીદારાનાં વચના સાંભળી સર્વે વીરચાદ્દા યુદ્ધ કરવાને ઉત્સુક થઈ ગયા. કાર્યક્ષાભ પામેલા સમુદ્રના ધ્વનિની પેઠે કંડાર ગર્જના કરવા લાગ્યા; કાર્ય મહાપરાક્રમી વીરા એવા ભુજાસ્ફોટ કરવા લાગ્યા કે જેથી જીર્ણપાત્રની પેઠે આકાશ ને ભૂમિ ફાટતી હોય તેમ દેખાવા લાગ્યું; કાઇ તેજસ્વી સુભટા કાપાગ્નિવડે કાળ જેવાં શસ્રો આકાશમાં ઉછાળી દેવતાઓને પણ ભય કરવા લાગ્યા; કાઈ કવચવાળા ધાડા ઉપર, કાઈ હાથી ઉપર, કાઈ રથ ઉપર, કાઈ ખચ્ચર ઉપર અને કાઈ ઊંટ ઉપર ચડયા; કેટલાક નિર્બળ છતાં પણ સખળ થઈને આગળ ચાલ્યા, અને કેટલાક શરીરને શણગારી તેની રક્ષા કરતા આગળ ચાલ્યા. ધનુર્ધારી વીરા ધનુષ્યના ટંકારથી શત્રુઓને મૌન કરતા, ઊંચા થતા અને નમતા આગળ સંચરવા લાગ્યા. પેઢલની સેનાએ પૃથ્વીને એવી પૂરી ઢીધી કે, જો તેના મધ્યમાં એક તિલના દાણા પડયો હાય તા તે પણ સમાય નહીં. અશ્વોએ વિશ્વમાં વ્યાપીને પેાતાના અશ્વ' નામને સાર્થક કર્યું અને તેની પછવાડે ચાલતા થા સર્વે ઠેકાણે પસરી ગયા. અંકશના ધાતવડે ઉત્પન્ન થયેલા ક્રોધથી રાતાં નેત્ર અને મુખવાળા ખખતરધારી હા ૧ સેંથો. ૨ અશ્વ શબ્દ સ્ વ્યાપવું એ ધાતુ ઉપરથી થયેલા છે. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy