SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લે. કામદેવને સજીવન કરતા હતા. આ પ્રમાણે હૃદયમાં સુખનાં સાહિત્યને ધારણ કરી આનંદરસને આશ્રય કરનારા ભરતરાજાએ પુણ્યથી અરતકાળ સુધી પ્રજાનું પાલન કર્યું. એક વખતે મહારાજા ભરત હર્ષથી સ્નાન કરી સર્વ અંગે આભૂષણ ધરી દપણાગારમાં આવ્યા. શરાણથી ઉત્તેજિત કરેલા પોતાના શરીરજેવડા - લદર્પણમાં લીલાથી ધીમે ધીમે તેમણે પોતાના રૂપનું અવલોકન કર્યું. પ્રત્યેક અંગ જોતાં પોતાની એક આંગળી મુદ્રિકાહિત જોવામાં આવી. બરફથી દગ્ધ થયેલા વૃક્ષની શાખા જેવી તે આંગળી જેઈને ભરતરાજા ચિંતવવા લાગ્યા. “અહા ! આ મુદ્રારહિત આંગળી જતાં જણાય છે કે આ મરતક વિગેરે સર્વ અંગમાં પણ આભૂષણોથીજ (કૃત્રિમ) શોભા લાગે છે.” એવું વિચારી વૈરાગ્યથી શાંત હૃદયવાળા ભરતે મસ્તક ઉપરથી મુકુટ, કર્ણમાંથી કુંડળ, કંઠેથી કંઠાભરણ, ઉરનથી હાર, ભુજાઓથી બાહુભૂષણ, હરતમાંથી વિરવલય અને આંગળીઓમાંથી મુદ્રિકાએ ભારની જેમ ઉતારી નાંખી. પછી ફાલ્ગન માસમાં પ, ફળ અને પુષ્પવગરના વૃક્ષની જેમ, અલંકારવગરનું નિસ્તેજ પિતાનું શરીર જોઈ ભરત મનમાં વિચાર કરવા લાગ્યા. “અહા ! આ શરીરરૂપી ભીંત આભૂષણરૂપી વર્ણરચનાથી ચિત્રી હોય તો પણ તે અનિયતારૂપી જળવડે ભીંજાયેલી હોવાથી અંતરમાં અસારપણાને લીધે અવશ્ય પડી જાય છે. અહે! રોગરૂપી પવનથી ચલીત થયેલાં પાકેલાં પાંદડાં જેવાં અવશ્ય પડનારા આ શરીર ઉપર પ્રાણીઓને કે દુર્ય જય મોહ થાય છે! આ શરીરમાં સારરૂપ ત્વચાની ઉપર પ્રાણી અહર્નિશ ચંદનરસથી વિલેપન કર્યા કરે છે, તથાપિ તે પિતાનું મલિનપણું છોડતી નથી. દુષ્કર્મથી પ્રેરાયેલો પ્રાણ જે શરીરને માટે મહા મેટાં પાપ કરે છે, તે શરીર કમળપત્ર પર રહેલાં જળનાં બિંદુ જેવું ચપળ છે. દુર્ગધી શૃંગારરસવડે મલિન એવી આ સંસારરૂપ ખાળમાં લેકો જાણતાં છતાં કાદવમાં રહેનારા ડુક્કરની જેમ પડયા રહે છે. અહા! મેં પણ આ શરીરને માટે સાઠ હજાર વર્ષ સુધી પૃથ્વી પર ભમી ભમીને ધિક્કારવાલાયક કૃત્ય કર્યું. મહાવીર બાહુબલિને અને બીજા મારા બંધુઓને ધન્ય છે કે જેઓ આ અસાર સંસાર છોડી મુક્તિને પામ્યા છે. જે સંસારમાં પ્રા' રાય પણ ચળિત છે, યૌવન જતું રહે તેવું છે અને લક્ષ્મી ચપળ છે તો પછી તે સંસારમાં સ્થિર શું છે ? માતા, પિતા, સ્ત્રી, બંધુ, પુત્ર અને સંપત્તિઓમાંથી કોઈ પણ સંસા ૧ આરિલાભુવન. ૨ વીંટી રહિત. ૩ છાતી. ૪ દુઃખે તજી શકાય તેવો. ૫ વિસ્તીર્ણ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy