SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ પ.] આદિશ્વર ભગવંતે કહેલું શ્રી તીર્થરાજનું માહાસ્ય. ૧૬૫ “તપ નિકાચિત કર્મને લેપ કરે છે. અહીં જો એક દિવસને તપ કર્યો હોય તો “તે આખા જન્મમાં કરેલા પાપનો નાશ કરે છે; અને છ8 અઠ્ઠમ વિગેરે તપ “કરવાથી વિશેષ ઉત્તમ ફળ મળે છે. તેથી સર્વ વાંછિતને આપનાર તપ આ તી“ર્થમાં વિશેષપણે કરે. જે અહીં અછાન્ડિક 'તપ કરે છે તે પ્રાણી કર્મરહિત થઈને બલાત્કારે સ્વર્ગ અને મોક્ષનું સુખ મેળવે છે. સુવર્ણ ચેરનાર પુરૂષ ચિ“ત્રીપુનમના એક ઉપવાસથી અને વસ્ત્ર ચેરનાર સારી વાસનાએ સાત આચાન્સ કરવાથી આ તીર્થમાં શુદ્ધ થાય છે. રત ચેરનાર સારી વાસનાએ દાન આપી કાર્તિક માસમાં સાત દીવસના તપથી રફુટ રીતે શુદ્ધ થઈ જાય છે. રૂપું, કાંસું, “ત્રાંબું, લટું અને પિત્તળ ચેરનાર પુરૂષ સાત દિવસ પુરિમાદ્ધ તપ કરવાથી તે પાપથી મુક્ત થાય છે. મુદ્રા અને પરવાળાને ચારનાર ત્રિકાળ જિનપૂજા કરી પંદર દિવસ પર્યત આચાર્તુમાં નિઃસ્નેહ ભેજન કરવાવડે પાપમુક્ત થાય છે. ધાન્યને ચોર અને જળને ચેર પાત્રદાનથી શુદ્ધ થાય છે. રસ પદાર્થને ચરનાર “અર્થના ઈછાપૂરક મહાદાન આપવાથી મૂકાય છે. વસ્ત્રાભરણનો હરનાર ભલી “વાસનાવડે આ તીર્થમાં જિનપૂજન કરવાથી પિતાના આત્માનો ખાડાની જેવા “સંસારમાંથી ઉદ્ધાર કરે છે. ગુરૂ અને દેવના દ્રવ્યને ચેરનાર અહીં સધ્યાન તથા “પાત્રદાનમાં પરાયણ થઈ જિનભગવંતને પૂજવાથી પોતાના પાપને વ્યર્થ કરી દે છે. કુમારિકા, દિક્ષિતા, પતિતા, સધવા, વિધવા, ગુરૂપલી અને અગમ્યા સ્ત્રીને સંગ કરનાર, આ તીર્થે આવી છ માસ પર્યત અહર્નિશ જિન ભગવંતના ધ્યાનમાં “મનને રોકી છ માસનો તપ કરે તે પુરૂષ કે સ્ત્રી તત્કાળ તે પાપમાંથી મુક્ત થઈ જાય છે. ગાય, મહિષી, હાથી, પૃથ્વી, અને મંદિરનો ચોરનાર આ તીર્થમાં ભક્તિથી જિનધ્યાન કરી તે તે વસ્તુ આપે તે શુદ્ધ થાય છે. બીજાના ચિત્ય, “ગૃહ, આરામ, પુસ્તક અને પ્રતિમા વિગેરેમાં પિતાનું નામ નાખી “આમારું છે “એવું જે દુષ્ટ પુરૂષ કહે તે પુરૂષ સામાયિકથી પવિત્ર એવા આ પુણ્યસત્રમાં શુભ “આશ્રવ કરવાથી છ માસના તપવડે તે પાપના ઓઘમાંથી શુદ્ધ થાય છે. પરમેષ્ઠી પદનું ધ્યાન, દેવાર્ચન અને દયાદિકથી સમકિતી શ્રાવક સર્વ પાપથી મુક્ત થાય છે. તેનું કોઈ પાપ નથી કે જે અહીં અહંતનું ધ્યાન કરવાથી ન જાય અને તેવું “કઈ પુણ્ય નથી કે જે અહીં અહંતનું ધ્યાન કરવાથી ન મેળવાય. આ તીર્થમાં પુણ્ય ન કર્યું હોય, પણ પોતાના ચિત્તમાં માત્ર ચિંતવ્યું હોય, તે પણ શુભ ભા ૧ અઠ્ઠાઈ (આઠ ઉપવાસ. ) ૨ આંબેલ ૩ પુરિમાદ્ધ (પુરીમદ્દ) દિવસો પહેલો અર ભાગ બે પહોર ન ખાવું તે. ૪ ઈચ્છાને પૂરી કરનાર. પ પુણ્યનું સ્થાન. ૬ સમૂહ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy