SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. કર્યું. ચક્રવર્તીના દંડઘાતવડે તેના મસ્તકમાં મેટે ધ્વનિ થયે અને જીર્ણ ભાંડની પેઠે મુગુટ ચૂર્ણ થઈ ગયે. તેની પીડાથી બાહુબલિએ નેત્ર મીંચી દીધાં અને તેના દુસહ દવનિથી લેકએ હાથવડે શ્રવણને ઢાંકી દીધા. તે પીડાને અવગણીને તરતજ બાહુબલિએ લેઢાને દંડ ગ્રહણ કર્યો અને જાણે દેવતાઓની સાથે વૈર કરતા હોય તેમ સ્વેચ્છાએ તેને જમાડ્યો. જયારે તેમણે દંડ ભમાલ્યો તે વખતે શું આ પર્વતના શિખરને તોડી નાખશે ! અથવા શું પૃથ્વીને ઉખેડી નાખશે ! એવી દેવતાઓને શંકા થવા લાગી. તે દંડવડે ગજેંદ્ર જેમ દૃઢ જંતુશળવડે દરવાજાપર પ્રહાર કરે તેમ બાહુબલિએ ભરતના હૃદય પર પ્રહાર કર્યો. જેથી ભારતનું મજબૂત બખ્તર તૂટી ગયું, અને આકાશમાંથી ભ્રષ્ટ થયેલા સૂર્યની જેમ ભરતચકીનું શરીર ફુટ કાંતિએ દેખાવા માંડ્યું. પછી કલ્પાંત મેઘ જેમ વિદ્યુદંડથી પર્વતને મારે, તેમ ભરતે દંડથી બાહુબલિના મસ્તક પર ઘા કર્યો. તે વખતે તે દંડ લેઢાને છતાં બાહુબલિના શરીરના આઘાતથી, જાણે પોતે કરેલા અપરાધને લીધે બાહુબલિનો ભય લાગ્યું હોય, તેમ ભાંગી ગયે. તે દંડના ઘાથી બાહુબલિ જાનસુધી પૃથ્વીમાં મગ્ન થઈ ગયા અને લય પામેલા ગીની જેમ ક્ષણવાર કાંઈ પણ જાણી શકયા નહીં. પણ પાછા તરતજ પંકમાં મગ્ન થયેલા હાથીની જેમ પોતાના અંગને કંપાવી બહાર નીકળ્યા અને પિતાને લેહદંડ ગ્રહણ કર્યો. તે વખતે “આ દંડવડે શું તારાઓને સ્થાનભ્રષ્ટ કરીને પાડી નાખશે, શું પર્વતને ચૂર્ણ કરશે, કે શું પક્ષીના માળાની જેમ આકાશમાંથી વિમાનને પાડી નાખશે?” આ પ્રમાણે શંકા કરતા લેક તેની સામું જોઈ રહ્યા. એટલામાં તો બાહુબલિએ બલવડે ચક્રવર્તીના મસ્તક ઉપર દંડને ઘા કર્યો. તે દંડના ઘાથી ચક્રવર્તી કંઠસુધી પૃથ્વીમાં પેશી ગયા, તે વખતે તેમના મુખને દેખાવ રાહુએ સેલા ચન્દ્રના જેવો દેખાતો હતો. તે જોઈ “હે પૃથ્વી! તું અમારા સ્વામીની પેઠે અમને પણ વિવર આપ.” આમ કહેતા ચકીના સર્વ સૈનિકો મૂછ પામ્યા, અને “અહા ! બ્રાતાના વધથી મને મોટું દુસહ પાપ લાગ્યું, કુપુત્ર એવા મારાથી પિતાને વંશ કલંકિત થયે, આ પ્રમાણે બાહુબલિ શોક કરવા લાગ્યા. તેવામાં તો તે વ્યથાને ત્યાગ કરી, સૂર્યના જેવા તેજસ્વી ચક્રવર્તી પૃથ્વીમાંથી બહાર નીકળ્યા. પછી ચક્રવર્તી વિચાર કરવા લાગ્યા કે, “જેમ દેવતાઓથી ઇંદ્ર, મૃગલાએથી કેશરી, અને તારાઓથી ચંદ્ર છતાય નહીં, તેમ રાજાઓથી ચક્રવર્તી છેતાય નહીં, તે છતાં આ શું થયું ? વળી સાઠ હજાર વર્ષ સુધી જે મેં પૃથ્વીને વિજય For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy