SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લે. તૃપ્તિ થાય ? માટે હે દેવતાઓ! જે તમે તેનું હિત ઇચ્છતા હે તો તે લેભાંધને જઇને સમજો, હું તેના જેવો લેભી નથી.” આવી બાહુબલિની વાણી સાંભળીને ચમત્કાર પામેલ દેવતાઓએ કહ્યું કે “ જયાં સુધી ચક પ્રવેશ કરે નહીં, ત્યાં સુધી ભરતરાજાને શીરીતે અટકાવી શકાય ? અને તે યુદ્ધ કરે તો તમારે યુદ્ધ કરવું એ નિશ્ચય છે તો તમને પણ અટકાવાય નહીં. માટે તમારે ઉત્તમ યુદ્ધથી યુદ્ધ કરવું, અધમ યુદ્ધથી નહીં.” આ વાત બાહુબલિએ પણ સ્વીકારી, એટલે સર્વ દેવતાઓ યુદ્ધભૂમિની નજીક આકાશમાર્ગે ઊભા રહ્યા. પછી બાહુબલિના છડીદારે હાથી ઉપર ચડી, ઊંચો હાથે કરીને મેટા દેવનિવડે સર્વ સુભટને કહ્યું, “હે રાજવીરો ! તમે વાંછિત યુદ્ધ કરવાથી નિવૃત્ત થાઓ અને ગજ અશ્વ વિગેરે વાહનોને પાછી લઈ જાઓ. આપણા મહારાજા બાહુબલિ દેવતાઓની પ્રાર્થનાથી પિતે ઘણા વખતથી છેલું કંકયુદ્ધ કરવાનો આરંભ કરે છે, તેથી તમે દૂર રહી તેનું અવલોકન કરો.” પ્રમાણે સાંભળી પોતાના બાહુ વૃથા વૃદ્ધિ પામેલા છે એમ માનતા સર્વ સુભટે રાજાની આજ્ઞાથી પોતે ઈચછેલા રણમાંથી દૂર ખસી ગયા. તે જ પ્રમાણે યુદ્ધ કરવાથી નિવૃત્ત થયેલા ભારતના દ્ધાઓ પણ ચિંતા કરવા લાગ્યા કે, “આપણે વિદ્યમાન છતાં આપણે સ્વામી હૃદયુદ્ધ કેમ કરતા હશે? જ્યારે સૈન્ય સઘળું મૃત્યુ પામે કે ભાગી જાય ત્યારે રાજાને પોતાની જાતે યુદ્ધ કરવું પડે છે. કારણ કે તે સર્વથા સૈન્યથી વિભૂષિત અને રક્ષણીય છે. આ ત્રણ લોકમાં આપણા રવામી સમાન કેઈ બલવાનું નથી, પણ તેનાથી આ એક બાહુબલિ વધે તેમ જણાય છે, તેથી આપણને શોચ થયા કરે છે.” આ પ્રમાણે એકઠા થઈ થઈને ચિંતા કરતા પિતાના સુભટને દેખી, ભરતે પોતાનું બળ બતાવવા માટે તેને એને લાવી આજ્ઞા કરી કે “હે સુભટે ! મારી આજ્ઞાથી તમે સર્વ એક મેટે ખાડો ખોદે” એમ કહી તેમની પાસે માટે વિરતારવાળે ખાડે ખેદા. પછી સાંકળવડે પિતાને વામ ભુજ બાંધી, બલવાન ભરત રાજા તે ખાડાની નજીક બેઠા. સેંકડો સાંકળથી આખા શરીરે વીંટાયેલા ભરત વડવાઇઓથી વીંટાએલા વડની જેવા અને કિરણથી વીંટાયેલા સૂર્યની જેવા દેખાવા લાગ્યા. પછી ભરતે આજ્ઞા કરી કે “તમે સર્વે તમારા સર્વ વાહનથી અને બલથી મને ખેંચીને આ ખાડામાં પાડી નાખો, કે જેથી તમને મારા બળનો નિશ્ચય થશે, પછી તમને સત્યતા જણાતાં ખેટી આશંકાનું સ્વમ પણ તત્કાળ વ્યર્થ થઈ જશે.” આ પ્રમાણે સર્વ ૧ હોથ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy