SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] ઋષભદેવે કરેલી લેાકવ્યવસ્થા અને કળાશિક્ષણ. ૧ એવી અર્થલક્ષ્મીના નિવાસરૂપ તે નગરની ચારે દિશાઓમાં જાણે નંદનવન હાય, તેવા પુષ્પાના આકરરૂપ ધણા સુંદર ઉદ્યાના બનાવ્યા. તે પ્રત્યેક ઉદ્યાનમાં પવને ઉડાડેલાં પુષ્પાની શ્રેણીવડે જાણે વૃક્ષાએ પણ પૂજેલા હાય, તેવા સુવર્ણમય જિનચૈત્યે શે।ભી રહેલા હતા. નગરીની પૂર્વ દિશામાં અષ્ટાપદ, દક્ષિણમાં મહાશૈલ, પશ્ચિમમાં સુરશૈલ અને ઉત્તરમાં ઉદ્દયાચલ એમ ચારે પર્વત કલ્પવૃક્ષોની શ્રેણીથી શોભિત, મણિરત્નાની ખાણવાળા, અને જિનેશ્વરના આવાસથી પવિત્ર હતા. આપ્રમાણે ઇંદ્રની આજ્ઞાથી જેનું બીજું નામ અયેાધ્યા છે એવી તે વિનીતા નગરી જાણે ઇંદ્રપુરી હાય તેવી કુબેરે બનાવી. એ નગરમાં વસનારા લોકા દેવ, ગુરૂ અને ધર્મમાં આદરવાળા, સ્થિરતા વિગેરે ગુણાથી યુક્ત, સય શૌચ અને દયાએ સહિત, કલાકલાપમાં કુશળ, સત્સંગમાં તત્પર, નિર્મલ હૃદયવાળા, સ્વભાવે શાંત, અમિદ્ર અને માટા ઉદયવાળા હતા. પ્રભુ ઉત્પન્ન થયા સુર અસુરાએ નમસ્કાર કરેલા અને ભરતક્ષેત્રરૂપ જગત્ની સૃષ્ટિને કરનારા શ્રી રુષભદેવ ભગવાન વિશ્વને રંજન કરતા સતા એ નગરીમાં રહીને રાજ્યનું પાલન કરવા લાગ્યા. પ્રભુના કહેવાથી અયેાધ્યાનગરીની આજુબાજુ તેમણે શિખવેલા કારીગરાએ બીજાં કેટલાંએક નગરા રચ્યાં. ભગવંતે વીશ લાખ પૂર્વસુધી કુમારપણામાં રહ્યા પછી, ત્રણ જગા ઉદ્ઘાર કરવાને માટે રાજ્યસ્થિતિ ધારણ કરી. રાજ્યના સાત અંગ, શત્રુઓને નિગ્રહ કરવાના છ ગુણ, રાજ્યસ્થિતિનાં પાંચ કારણ, સૈન્યનાં ચાર અંગ, કુલગ્રહણ કરવાની ત્રણ શક્તિ, નીતિનાં બે અંગ અને ત્રણ લાકમાં પેાતાનું એક છત્ર, એટલાવાનાં પ્રભુએ નિર્માણ કર્યો. અગાઉ એ ક્ષેત્રમાં એ કાળની અપેક્ષાએ મેધ, અગ્નિ, વિદ્યા, કળા કે બીજો કાંઈપણ વ્યવહાર હતાજ નહીં. તેની આજ્ઞાથી પૃથ્વી ઉપર મેધ વૃષ્ટિ કરતા હતા, પૃથ્વી બીજાદિકને ધારણ કરતી હતી અને અગ્નિ અન્નાદિકને પકવતા હતા. પછી લેાકાના હિતનેમાટે પ્રભુએ, કૃષી કરનાર, સેવક, કુંભાર, વેપારી, અધિકારી, ક્ષત્રીય, સુથાર, સલાટ, સ્વર્ણકાર, ચિત્રકાર, અને મણિયાર વિગેરે કારીગરી ઉત્પન્ન કર્યા. એટલે જેની જેવી ચાગ્યતા જણાણી તેને તે પ્રકારની કળા-શિલ્પાદિ શિખવ્યું. પ્રભુએ પેાતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને બોંતેર કળાકાંડ ભણાવ્યા, તેણે પછી પેાતાના બીજા બંધુઓને તે કળા શિખવી. બાહુબલિને ગજ, અશ્વ, સ્ત્રી અને ૧૧ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy