SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશનનું નિવેદન લાંબા કાળથી જન પ્રજાનું હદય શત્રુંજય તીર્થની ભક્તિથી એટલું ઓતપ્રત થયેલું છે કે જેથી તેને એક એક અણુ પણ પવિત્ર હોવાની ચિરરઢ માન્યતા સ્વાભાવિક લાગે છે. શત્રુંજયમાહાભ્યમાં આ તીર્થના અભુત પ્રભાવનું વર્ણન મળે છે તે જોતાં અત્યારે તે તેને ધ્વસાવશેષ હોય તેમ લાગ્યા સિવાય રહેતું નથી. આ તીર્થે સેના અનેક આક્રમણે સહ્યા છે છતાં આ ગિરિરાજ અનેક યુદ્ધોમાં શત્રુઓના ઘા સહન કરી કૃશ થયેલા છતાં વિજયવંત યોદ્ધાની જેમ પિતાના મહિમાને દિગમાં ફેલાવતે ઉન્નત મસ્તકે ઉભે હાય તેમ નજરે જોનારને પ્રતીત થાય છે. આ તીર્થ પર અનેક ઉદ્ધાર થઈ ગયા છે, તેમાં જાવડશાહ વગેરેના જે ઉદ્ધાર એતિહાસિક કાળમાં થયેલા છે તેમાંના ચૌદમા સૈકામાં થયેલા સમરસિંહના ઉદ્ધારનું આ પ્રબંધમાં મુખ્યપણે વર્ણન કરેલું છે અને બીજા ઉદ્ધારનું સંક્ષિપ્ત રૂપે સૂચન કરેલું છે. વિ. સં. ૧૩૬૯ માં ખીલજી વંશીય અલ્લાઉદ્દીનના સૈન્ય જય તીર્થનો ભંગ કર્યો અને આદિજિનની પવિત્ર મૂર્તિને ખંડિત કરી. તે સાંભળી તમામ હિંદુઓમાં અને વિશેષતઃ જૈન સંઘમાં ભારે #ભ અને શક પ્રસર્યો. તે વખતે પાટણમાં ઓસવાળ જ્ઞાતિના દેશલ અને તેને પુત્ર સમરસિંહ નામે ધનાઢય શ્રાવક રહેતા હતા. તેમના જાણવામાં આ વાત આવી અને તેમના હૃદયને સખ્ત આઘાત થયો. તે સમયે ઊંકેશગચ્છીય સિદ્ધસેનસૂરિ પાટણમાં વિરાજમાન હતા. તેમની પાસે દેશલશાહ ગયા અને તેમણે હૃદયમર્મભેદક તીર્થભંગની હકીકત કહી. સિદ્ધસેનાચાર્યે કળિકાળનો પ્રભાવ જણાવી તેમના હૃદયને શાન્ત કર્યું અને શત્રુંજય તીર્થને ઉદ્ધાર For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy