SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહ્યું કે હવે મારું આયુષ માત્ર એક માસ બાકી છે જયારે તે આઠ દિવસ બાકી રહે ત્યારે તમારે મને સંઘની સિદ્ધસેનસૂરીનું ક્ષામણાપૂર્વક અનશન કરાવવું. કલિયુગમાં આવું વિશિષ્ટ જ્ઞાન હેય શું એમ શંકા લાવી કક્રસૂરિએ કહેલા દિવસે ગુરુને અનશન ન કરાવ્યું. ગુરુએ સ્વયમેવ બે ઉપવાસ કર્યા, અને સંઘસમક્ષ અનશન ગ્રહણ કર્યું. સહજપાલ પ્રમુખ બધા શ્રાવકેએ મહત્સવ કર્યો. તે વખતે પાટણમાં ચાર વર્ણમાને કેાઈ પણું બાળક, યુવાન કે વૃદ્ધ માણસ નહોતો કે જે સૂરિને વંદન કરવા ન આવ્યો હોય. પાંચ યોજનની આસપાસના ગામમાં એવું કોઈ પણું ગામ નહતું કે ત્યાંથી માણસે વંદન કરવા ન આવેલા હેય. ત્યાર પછી છ દિવસે કહેલી વેળાએ આચાર્ય સમાધિવડે કાળધર્મ પામી સ્વર્ગે ગયા. તે વખતે નગરવાસી જનોએ હર્ષપૂર્વક તેમનો ઉત્સવ કર્યો. છ દિવસે એકવીશ મંડપવાળું વિમાન તૈયાર થયું એટલે શ્રાવકે તેમાં આચાર્યના શરીરને સ્થાપન કરી ઉત્સવપૂર્વક એક કેશ સુધી તે વિમાન લઈ ગયા, અને તેઓએ ચંદન અગરના કાષ્ઠવડે તથા પુરવડે તેમના શરીરને અગ્નિદાહ કર્યો. સંવત્ ૧૩૭૬ ના ચૈત્ર સુદિ ચૌદશે તેઓ સ્વર્ગે ગયા. ત્યારબાદ કક્કસૂરિ ગચ્છનું પાલન કરવા લાગ્યા. તે વખતે - દિલ્હીમાં કુતબુદીન બાદશાહ હતો. તે સમરસમરસિંહનું દિલ્હી સિંહના ગુણ સાંભળી તેને મળવા ઉત્સુક તરફ પ્રયાણ અને ત્યાં થયું. તેણે ફરમાન કાઢી સમરસિંહને બેલાબાદશાહનું સન્માન થશે અને તે પણ સર્વ સામગ્રી તૈયાર કરી દિલ્હી તરફ ચાલ્યો. દિલ્હી પહોંચતા વાર બાદશાહે સમરસિંહને આદરપૂર્વક બોલાવ્યો. સમરસિંહે પણ વિવિધ પ્રકારની ભેટ બાદશાહ પાસે મૂકી પ્રણામ કર્યા. બાદશાહે તેના ગુણથી સંતુષ્ટ થઈને તેને સર્વ વ્યાપારીઓમાં અગ્રેસરી સ્થાપ્યો. ત્યાં બાદશાહની અવનવી મહેરબાની વડે તેનો કેટલોક કાળ વ્યતીત થયો. For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy