SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વારાને દિવસે મહાપૂજા અને દાનસત્રેા કર્યો. દેસલે સધસહિત આદિજિનની આરતી ઉતારવાના પ્રારંભ કર્યાં. તેની બન્ને બાજુએ સાહુણુ અને સાંગણુ ચામર ધારણ કરી તથા સામન્ત અને સહજપાળ કલશ ધારણ કરી ઉભા હતા. ત્યાર બાદ સમરસિંહે પિતાના નવ અંગે ચંદનના તિલક કર્યાં, લલાટે તિલક કરીને અક્ષત ચાડવા અને ડાકમાં ફુલની માળા પહેરાવી. બીજા પણ સંઘના પુરુષાએ ચંદન વડે પગે પૂજા કરી, કપાલે તિલક કરી અને આરતીની પૂજા કરી તેના કંઠે માલા પહેરાવી. જિનગુણુના ગાનારા ગાયકાને મહા મૂલ્ય સ્વર્ણના કંકણુ, તુરંગ અને વચ્ચેાના દાનથી સંતુષ્ટ કર્યાં. દેશલશાહે આરતી કરીને મંગલદીપ ગ્રહણ કર્યાં. ભાટે તે વખતે મેાટા સ્વરે દેશલ અને સમરસિંહની બિરુદાવલી બાલ્યા અને તેને તેએએ પુષ્કળ દાન આપ્યું. ત્યાર પછી કપુર વડે મગલદીપ કરી વાગતા વાદિત્રના શબ્દની સાથે ઉચ્ચસ્તરે મોંગલદીપ મેાલી, હાથ જોડી શક્રસ્તવ વડે આદિજિનની સ્તુતિ કરી. સિદ્ધસ્રિએ પણ શક્રસ્તવ થયા બાદ આદિજિનની અમૃતાષ્ટક વડે સ્તુતિ કરી, એ પ્રમાણે આદિજિનના પ્રતિષ્ઠામહે।ત્સવ કરી અભીષ્ટ કાર્યની સિદ્ધિથી ઉત્પન્ન થયેલા પ્રમેાદ વડે દેશલે નૃત્ય કર્યું અને જિનની સ્તુતિ કરી. ત્યાર પછી યુગાદિ દેવની રજા માગી દેશલ કપર્દિયક્ષને મંદિર ગયા અને ત્યાં નાળીએર અને લાપશી વડે યક્ષની પૂજા કરી, તેના મંદિરે ધ્વા ચડાવી, તથા ધર્મકાર્યમાં સહાય કરવા તેની પ્રાર્થના કરી. સંઘનાયક દેશલ શત્રુંજય તીને વિષે વીશ દિવસ રહી પુત્ર સહિત સિદ્ધસેનસૂરિની સાથે પર્વત ઉપરથી ઉતરવા તૈયાર થયે અને સ અતાને નમી પ્રાતઃકાલમાં પતથી નીચે ઉતરી સંઘના નિવાસ સ્થાને આવ્યેા. સુંદર મેાદક અને અનેક પ્રકારના શાક ઈત્યાદિ રસ ૩૪ For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy