SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે સમરસિહે પિતાની આજ્ઞાથી આરાસણની ખાણથી લહી મંગાવવા પોતાના વિશ્વાસુ માણસને વિજ્ઞપ્તિ બિંબ માટે ત્રિસંગમ સાથે ભેટયું લઈને મોકલ્યા. તેઓ થોડા પરથી ફલહીનું લાવવું. વખતમાં ત્રિસંગમપુર પહોંચ્યા. તે વખતે " ત્યાં આરાસણની ખાણને માલિક મહિપાલ દેવ નામે રાણે રાજ્ય કરતો હતો “તે રાજા માહેશ્વર-શિવભક્ત છતાં પણ જૈનધર્મમાં શ્રદ્ધાવાળે હતો. તે જન્મથી માંસ મદિરા વગેરે, પદાર્થનું ભક્ષણ કરતો નહોતો. અને બીજા માંસ ભક્ષણું કરનારને પણ નિવારતો હતો. જે કદિ ત્રસ જીવની હિંસા કરતો નહોતો. તેમ તેના રાજ્યમાં કોઈ પણ હિંસક રહી શકતો નહોતો. તેના રાજ્યમાં બાકડા કે પાડાનો વધ કેાઈ પણું કરતું નહોતું. જૂ જેવા શુક જંતુને પણ કઈ મારી શકતું નહિ. તે દિવસે જ એક વાર સ્નાન કરી ભજન કરતો હતો.” તે રાજાને “પાતાશાહ” નામે મંત્રી હતો. સમરસિહના માણસો વિસતિપત્ર સાથે ભટણું લઈને મહીપાલ દેવના દર્શન માટે આવ્યા, અને રાણુને નમસ્કાર કરી ભેંટણું આગળ ધરી વિજ્ઞપ્તિપત્ર આપ્યો. મન્ચીએ રાણુની આજ્ઞાથી વિનતિપત્ર હાથમાં લઈને તેને ઉચ્ચ સ્વરે વાંચ્યો અને તેને અર્થ જાણું રાણે બે કે, “સમરસિંહ ધન્ય છે અને એનો જન્મ પણ સાર્થક છે, હું પણ ધન્ય છું કે મારી પાસે આરસની ખાણ છે, નહિ તો આ બાબતમાં હું કયાંથી યાદ આવત.” વળી રાણાએ પાતાશાહ મન્નીને કહ્યું કે સમરસિંહનું એટણું પાછું આપે, કેમકે પુણ્યને માટે ધન કેમ લઈ શકાય ? ધન, પરિવાર અને જીવિતવડે મનુષ્ય ધર્મ કરે છે, તે માત્ર ભટણવડે તેને કેમ હારી જવાય ? ખાણમાંથી જિનબિંબને માટે શિલાદલને ગ્રહણુ કરનાર પાસેથી જે કર લેવાય છે તેને પણ હું આજથી છોડી દઉં છું, આ કાર્યમાં જે કોઈ પણ સહાય જોઈએ તે કરવા તૈયાર છું. ૧૭ For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy