SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિંબનું ઘડવું મૂળસ્થાને થાપનથી ફળીભૂત થયું છે. ૨૦-૨૦૨ તે હે પ્રભુ! તેની પ્રતિષ્ઠા કરવાના અમારાં ઉત્તમ દેહલાને હવે તમે તુરતજ સફળ કરે. ૨૦૩ તેમજ હે ભગવન! છેલ્લકથી માંડીને કલશ પર્યત મુખ્ય દેરાસરના શિખરને ઉદ્ધાર પરિપૂર્ણ કરાવ્યું છે. અને દેવની જમણી બાજુ ચોવીશ ભગવાનોથી યુકત અષ્ટાપદ સમાન દેખાવનું એક નવું દેરાસર પણ કરાવ્યું છે. ૨૦૫ વળી બલાનક મંડપને ત્રિભુવનસિંહે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે ઉદ્ધાર કરાવ્યો છે. ૨૦૬ અને તે જ સત્પષે ચાલુ સમયમાં પૃથ્વી પર વિહાર કરી રહેલા (વિહરમાન) અરિહંતોનું પણ એક નવું દેરાસર મૂળનાયક ભગવાનના પાછળના ભાગમાં બંધાવ્યું છે. ૦૭ તેમજ નિર્દોષ બુદ્ધિવાળા સ્થિરદેવના પુત્ર સાધુ લંકે, નાની નાની ચાર દેહરી બંધાવી છે. ૨૦૮ અને જૈત્ર તથા કૃષ્ણ નામના બે સંધપતિઓએ જિનબિંબથી યુકત મુખ્ય આઠ દેહેરીઓ કરાવી છે. ૨૦% વળી સાધુ પૃથ્વીટની જાણે કીતિ હોય તેવા સિદ્ધ કટાકેટિના ચૈત્યને મ્યુચ્છ લોકોએ પાડી નાખ્યું હતું તેને પણ હરિશ્ચંદ્રને પુત્ર સાધુ કેશવ, જે મહાભાગ્યશાળી છે અને ઉત્તમ ગુણેનો આધાર છે તેણે ઉદ્ધાર કરાવ્યો છે ૨૧૦-૨૧૧ તેમજ જે કોઈ અન્ય દેહેરીઓને ચૂને વગેરે ઉખડી ગયો હતો, તે સર્વને કાઈ કોઈ પુણ્યશાળી પુરુષે કરાવી છે.૧૨ એ રીતે શત્રુંજય ઉપરનાં સર્વ સ્થાનકે પૂર્વની પેઠે મૂળ સ્થિતિમાં આવી ગયાં છે અને તેવું એક પણ સ્થાન કેઇ ઠેકાણે નથી કે જેનો ભંગ થયો હોય એમ કઈ જાણી શકે છે સર્વ અરિહંત ભગવાનના કળશની તથા દંડની પ્રતિષ્ઠા અમારે કરવી છે. ”૨૧૪ તે સાંભળી ગુરુ બોલ્યા --“હે સાધુ! પ્રતિષ્ઠા માટેનું મુહૂર્ત જ્યારે ઉતમ હોય, ત્યારે તે કરવી જોઈએ, જેથી તે સ્થિર થાય.” ( ૧૮૫ ). For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy