SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવ ૪ તે ઉંચકાઈ રહી, અને અતિ અલ્પ પ્રયાસે મંત્રીએ કારીગર પાસે તે શિલાપાટને ગાડા ઉપર સુખેથી ચઢાવી દીધી. ૧૩–૧૪૦ તે વેળા રેતીના સમુદ્રરૂપ દુસ્તર માર્ગમાં સહેલાઈથી તરવા જવા માટે તે શિલાપાટે મજબૂત પાટીયામાંથી બનાવેલ તે ગાડારૂપ વહાણને જાણે આશ્રય કર્યો હોય તેમ લાગતું હતું.૧૪૧ પછી મંત્રીશ્વર પાતાકે શુભ મુહૂર્તે તે ગાડામાં વીશ બળદ જોડી દીધા અને સો માણસો તેને વળગાડીને ત્યાંથી ચાલતું કર્યું. ૧૪૨ તેમજ પોતાના દેશના સીમાડા સુધી મેટો ઉત્સવપૂર્વક પોતે સાથે આવીને મંત્રી પાતાક ત્યાંથી ફર્યો. ૧૪૩ માર્ગમાં કોદાળીઓ વાળા માણસો ખાડા ખડીયાઓ પૂરી દઇને રસ્તો સપાટ કર્યે જતા હતા તેથી એ ગાડું દેવથી પ્રેરાયું હોય તેમ વેગથી આગળ ચાલવા માંડયું. ૧૪૪ માર્ગે જતાં ઠેક ઠેકાણે અને પગલે પગલે તે શિલાપાટનું લેકે પૂજન વંદન કરતા હતા અને એમ કરતાં કરતાં અનુક્રમે તે શિલાપાટ ખેરાલુ” નામના નગર સમીપ આવી પહોંચી. ૧૪૫ જ્યારે તે શિલાપાટ ત્યાં આવી ત્યારે એ નગરમાં રહેનારા સંધે તેનું પૂજન કરીને તેને પ્રવેશમહોત્સવ કર્યો. ૧૪૬ પછી બીજે દિવસે ત્યાંથી તે આગળ ચાલી અને કેટલેક દિવસે સુખેથી ભાડુ ગામની સમીપ આવી પહોંચી. ૧૪૭ સાધુ દેશલે પોતાની એ શિલા પાટને ત્યાં સુધી આવેલી જાણું એટલે તે તથા તેના પુત્ર બને જણ તેનાં દર્શન કરવા માટે ઉત્કઠિત બન્યા. ૧૪૮ અને તે જ સમયે શ્રી સિદ્ધસૂરીને તથા પાટણના સર્વ નાગર લેકને સાથે લઈ દેશલ ભાંડુગામ ભણું ગયો. ૧૯ત્યાં જઈને તેણે જોયું કે શિલાપાટ અત્યંત શુદ્ધ છે અને ચંદ્રની કાંતિ સમાન ઉજ્વળ છે, ત્યારે તેનાં નેત્રરૂપ ચંદ્રકાંત મણિમાંથી આનંદના અશ્રુઓ રૂપ અમૃત ગળી પડયું–શિલાપાટને જોઇને દેશનાં નેત્રોમાંથી હર્ષાશ્રુ ગળી પડ્યાં ૧૫૦ અને તેનાં નેત્રે હર્ષથી પ્રફુલ ( ૧૮૦ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy