SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલપખાન પાસેથી તીર્થોદ્ધારનું ફરમાન મેળવ્યું પછી શ્રીસમરસિંહ મણિ, મોતી, સુવર્ણ, વસ્ત્ર તથા અલંકાર આદિ પુષ્કળ ભેટ લઈને તેમજ બીજી અનેક વસ્તુઓ સાથે લઈને ગૂર્જરભૂમિના અધિપતિ અલપખાનની શુભ દિવસે મુલાકાત લીધી. ર૭૩-૧૭૪ રાજા અલપખાન સમરસિંહને પોતાની પાસે આવેલ જેમાં અત્યંત આનંદ પામ્યો; અથવા તેવી વસ્તુઓ પિતાની પાસે આવે તે કાણુ આનંદ ન પામે ! ૨૭૫ તેણે હર્ષથી હાથ ઉંચે કરીને ઉચ્ચ સ્વરે કહ્યું કે, આવ, ભાઈ! આવ; તું સત્વર અહીં મારી પાસે આવ.” ૨૧ પિતાના સ્વામીને એ હર્ષ જોઈને તથા તેવા પ્રકારે પોતાને આદર સત્કાર થયેલા જોઈને સાધુ સમરસિંહે પિતાની કાર્યસિદ્ધિનું તેને શકુન માન્યું. ૨૭ અને તુરતજ પોતે આણેલી બધી ભેટે તેને નિવેદન કરી. ૨૭૮ તે ભેટ જોઇને અલપખાન અત્યંત પ્રસન્ન થયો. તેણે કહ્યું કે, અહેઆજે તે તેં મને પુષ્કળ ભેટ ધરી છે. તે નિત્ય મારી આજ્ઞા પાળનારે હેવાથી મને ઘણું જ પ્રિય છે, અને તેને અહીં આવવા માટે કદી પણ મનાઈ કરવામાં આવતી નથી; તે હે મિત્ર! આ સમયે તારે આવવાનું કારણ શું છે તે મને કહે. ૨૭૯-૨૮૦ પછી સમરસિંહે પ્રણામ કરીને કહ્યું કે, હે પ્રભુ! જે તમે પ્રસન્ન થયા છે અને મારું માગેલું જે તમે આપો તો મારે મારું મનવાંછિત કંઈક માગવું છે.” ૨૮૧ ત્યારે સુ બોલ્યો:–“હે સમર ! તારા કરતા મારો પુત્ર પણ મને પ્રિય નથી, માટે તારી ઈચ્છા હોય તે તું માગી લે, તેમાં વિચાર કર મા." ૨૮૨ પછી સાધુ શ્રેષ્ઠ સમરસિંહે વિનતિ કરી કે, હે સ્વામિન ! હાલમાં શત્રુંજય પર્વત ઉપરના તીથીને તમારાં સએ નાશ કર્યો છે. આ તીર્થ જે હયાતીમાં હોય તો સમગ્ર હિંદુ ધર્મનિમિત્તે ત્યાંની યાત્રા કરે છે અને પિતાના ધનને તે સ્થળે ઉપયોગ કરે છે. ૨૮૨–૨૮૪ વળી તમારી હિંદુ પ્રજા ( ૧૬૩ ). For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy