SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવ ૨. જિનમંદિર માટે જગ્યા લીધી. કેમકે ધર્મકાર્યમાં કેણ વિલંબ કરે ? ૯૯૬ તે પછી થોડા જ દિવસમાં નિરંતર પુષ્કળ ધન આપવાને લીધે કારીગરોના ઉત્સાહથી દેવમંદિર તૈયાર થઈ ગયું. ૯૩૭ પછી દેશલે નરદમ આરસના પત્થરની અને તેથી ચંદ્રમા જેવી જણાતી મૂળનાયકની પ્રતિમા, બીજી બે મોટી પ્રતિમાઓ અને ચોવીશ નાની પ્રતિમાઓ તૈયાર કરાવી, તેમજ સયા દેવી, અંબિકા દેવી, સરસ્વતી દેવી અને ગુરુની મૂર્તિઓ પણ કરાવી. ૯૩૮-૯૩૯ તેમજ સિદ્ધસૂરિને આદરસત્કાર કરી, તેમને સાથે લઈ, દેશલ મજૂરે પાસે પ્રતિમાઓ ઉપડાવીને દેવગિરિ તરફ જવા ચાલતે થયો. ૯૪૦ સહજપાલ પણ ગુરુ તથા પ્રતિમાઓનું આગમન સાંભળી આનંદપૂર્વક ચાર પ્રયાણ સુધી સંધ સાથે સામે આવ્યો. ૯૪૧ અને ગુરુ તથા મૂળનાયક ભગવાન, દેવગિરિમાં જ્યારે આવી પહોંચ્યા ત્યારે સહજે પ્રવેશને મહેસવ કર્યો. ૯૪૨ તે વખતે પ્રવેશમંગળનાં વાદિત્રોના પડઘા ચોતરફ સંભળાવા લાગ્યા; જાણે કળિકાળમાં નિદ્રાવશ થયેલા ધર્મને જગતમાં જાગ્રત કરતા હોય તેવા જણાવા લાગ્યા. ૯૪૩ નગરના પ્રત્યેક ઘરનાં બારશુઓ પર તોરણે શોભી રહ્યાં હતાં, જેઓ ભવ્યજીની પુણ્યલતાએમાંથી નીકળેલા ફણગા હોય તેવાં દેખાતાં હતાં. ૯૪૪ વળી ઘેર ઘેર સ્થાપવામાં આવેલા પૂર્ણ કલશે, પુયરૂપ રત્નોથી ભરપૂર છે અને પ્રકટ થયેલા નિધિઓ સમાન શોભતા હતા. ૯૪૫ એ રીતે અતુલ મહત્સવ ચાલી રહ્યા હતા, ત્યારે સહજપાલ, પ્રતિમાઓને દેવમંદિરમાં, અને ગુરુમહારાજને પિષધશાળામાં લઈ ગયા. ૯૪૬ પછી અનુક્રમે સિહસૂરિએ જળયાત્રા આદિ મહેસવપૂર્વક પ્રતિષ્ઠાના મુહૂર્તને સમય સાખ્યોપ્રતિકા. કરી.૯૪તે સમયે સારી રીતે પ્રસિદ્ધ થયેલા શ્રેણીદશલે, ઉત્તમ પ્રતિનાં ભેજનેથી તથા વસ્ત્રોથી ચારે પ્રકારના સંઘનું સન્માન કર્યું. દેરાસરની આગળ વિશાળ મંડપ બંધાવી તેની ચોતરફ મોહના પ્રવે ( ૧૩૬ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy