SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શખરાજની કથા. જોઈએ. મહાવ્રતરૂપ મહારત્નોનો સંગ્રહ કરવાને તમે આદર કરેતુરત જ આરંભ કરે.”૮૭૦ “બહુ સારૂ” એમ કહીને શંખરાજ નગરમાં ગયો અને તે ન્યાયી રાજાએ સૂરપાલ નામના પિતાના પુત્રને રાજ્યાસને બેસાડવો.૯૭૧ તે સમયે એ નવે રાજ જ્યારે રાજ્યાસને બેઠે ત્યારે, જો કે તે કુશળ હતો તો પણ તેના પિતાએ પ્રેમથી આવી શીખામણ આપવા માંડી,૮૭૨ “હે પુત્ર! તારે ન્યાયથી જ લક્ષમી મેળવવી, કેમકે તેવી લક્ષ્મી સ્થિર થાય છે અને કીર્તિ કરનારી થઈ પડે છે. જેમ શરીરમાં બળપૂર્વક જે વધારો થાય છે તેજ ઉત્તમ ગણાય છે નહિ કે સેજા આવવાથી !૯૭૩ હે પુત્ર! તારે પૃથ્વી પર અત્યંત રાગી ન થવું તેમ સર્વથા વિરા પણું ન થવું પણ મધ્યસ્થપણે વશમાં રહેનારી કેાઈ સ્ત્રીને ઉપભોગ કરવામાં આવે તેમ તારે પૃથ્વીનો ઉપભોગ કરવો.૮૭૪ આ પૃથ્વી, વેશ્યા સ્ત્રીની પેઠે કોઇની થઈ નથી અને કોઈની થશે નહિ. તે કોઇને અત્યંત સ્વાધીન કે વશ થતી જ નથી. ૮પજે કે પૃથ્વીને મેટો ભાગ તારા તાબામાં છે તો પણ તેથી તારે પ્રમાદી બનીને ગર્વ કરવો નહિ. કેમકે, આપણે સાંભળીએ છીએ કે રાવણ પોતે પણ ગર્વથી દુર્દશાને પામ્યો હતો. “હે વત્સ ! તારે કોઈને પણ કદી વિશ્વાસ કરે નહિ, કેમકે વડવાનલે સમુદ્રને વિશ્વાસ પમાડીને શું કર્યું છે તે તું જાણે છે? ૮૭ હે પુત્ર ! ઉત્તમ, મધ્યમ કે અધમ હરકેઈતારા સેવક ઉપર તારે સમાન ભાવ રાખવો, અને ત્રાજવાના કાંટાની પેઠે સમાન સ્થિતિમાં રહેવું, જેથી તે પ્રમાણપાત્ર થઈશ. વળી જેમ નદીઓ પર રાગ્રહ ન કરવો જોઈએ તેમ, તારે કોઈ સ્ત્રીઓ પર પણ આગ્રહ કરવો નહિ- સ્ત્રીઓને વશ થવું નહિ. કેમકે નદીઓ જેમ સમુદ્રમાં ઘસડી જાય છે તેમ, સ્ત્રીઓ પણ (પુરુષોના મનરૂપ) જેતરાને ખેંચીને તેઓને સંસારરૂપ સમુદ્રમાં ઘસડી જાય છે.૮૯ હે વત્સ! (૧૨૯ ) માએ છીએ કાળ બનીને ન હતા. For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy