SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાત્રદાન વિશે ખરાજ કથા. કહેવું.૭૮૭ આવી શિખામણ આપીને તેણે ભોજન કર્યું અને પેલો મૂખ શિરોમણી તેને કામે લાગે.૭૮૮ હવે એક દિવસે એવું બન્યું કે પેલે ગામધણી. દેવીની યાત્રા નિમિત્તે ગામમાં જ્યાં ઉત્સવ થતો હતા, ત્યાં બેઠો હતો, તેવામાં તેનું ઘર સળગ્યું, એટલે તેની સ્ત્રીએ પિલા મૂખને તેને બોલાવવા માટે મોકલ્યો.૮૯ તે વેળા ગામની પાસેના એક બગીચામાં દેવીની યાત્રા નિમિતે આવેલા લેકે એકઠા મળ્યા હતા અને તેઓની વચ્ચે ગામધણી બેઠો હતો, જેથી પેલા મૂખધિરાજને ગામધણુએ આપેલી પ્રથમની શીખામણ યાદ આવી અને તે ઘણું લાંબા સમય સુધી મૌન ધરીને ત્યાં ઉભો રહ્યો. પછી ગામધણીએ જ્યારે પૂછ્યું ત્યારે તેણે તેના કાન પાસે જઈને કહ્યું કે, તમારું ઘર અગ્નિથી બળી જાય છે. આ સાંભળી ગામધણુએ પોતાના ગામ સામે દૃષ્ટિ કરી, ત્યારે તે દૂધ અને પાણું જેમ એક થઈ જાય તેમ, આકાશમાં કેવળ ધૂમાડે જ તેના જોવામાં આ.9-૭૯૨ પછી ગામપતિએ કહ્યું કે, અરે એ મૂર્ખ ! તું આટલે સુધી આ શા માટે ? અને જે આવ્યો તો તે કહ્યું કેમ નહિ ? શા માટે ખીલાથી જડી દીધો હોય તેમ ઉમે રહ્યો ? ૭૯૩ ત્યારે તેણે કહ્યું કે, મને મારી શેઠાણીએ મોકલ્યો તેથી હું આવ્યો છું. અહીં તમે લોકના મેળાવડામાં બેઠા હતા તેથી તમારી શિખામણ પ્રમાણે મેં તમને કહ્યું નહિ. છ૯૪ તે પછી ગામપતિ ગામના લોકોની સાથે ઉતાવળે ઉતાવળે ઘેર ગયો પણ તેટલામાં તો ઘર અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયું હતું. છેલ્પ એ વખતે ગામધણીએ પેલા મૂર્ખ ચાકરને કહ્યું કે, તે કેવો મૂર્ખ દેખાય છે? જ્યાં ધૂમાડો જોવામાં આવે ત્યાં કોઈને પૂછ્યા વિના પિતાની મેળે જ ધૂળ તથા કાદવ વગેરે નાખી દેવા જોઈએ. ૬ તે સાંભળી પેલાએ કબૂલ કર્યું કે, હવે પછી એમ કરીશ, અને પછી નહિ. હતા તેથી ઘર અગ્નિ સાથે ઉતાવ, ( ૧૨૧) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy