SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવ ૩. વ્યાધિ રૂપ જળનું પૂર ચાતર ફેલાઈ રહ્યું છે, માનસિક પીડાઓરૂપ જળચરજંતુ ચેબાજુ તેમાં વસી રહ્યાં છે, માહરૂપી મેાટી ભમરીઓમાં સંખ્યાબંધ પ્રાણીએ ગેબ થતાં તેમાં તેવામાં આવે છે, તેના મધ્ય વિભાગમાં ક્રોધરૂપી વડવાનળ પ્રજ્વળી રહ્યો છે, તેથી તે મહા ભયંકર છે, માનરૂપી મેાટા પહાડા તેમાં આવેલા છે, જેથી મેાક્ષમાર્ગમાં સ્થિતિ કરવારૂપ વહાણુ તેમાં અયડાઈને છિન્નભિન્ન થઇ જાય છે, માયા-કપટરૂપ લતાઓનાં ગીચ ઝુંડ તેમાં વ્યાપ્ત છે જેથી પ્રાણીઓની સદ્દગતિ દુઃસંચાર થઈ પડે છે—સ્ખલિત થાય છે—પ્રાણીઓ સદ્દગતિએ જઈ શકતાં નથી. અને તૃષ્ણા આદિ નદીના પૂરથી તે સમુદ્રમાં લેભરૂપ જળને આધ પ્રતિદિન વધતા જાય છે.૭૬૦૭૬૩ આ સંસારસમુદ્રને તરી જવા માટે હવે તમારે અવશ્ય યત્ન કરવા જોઇએ; નહિ તે સર્વો અર્થાને સિદ્ધ કરી આપનારા મેાક્ષરૂપ એટ તમને પ્રાપ્ત થશે નહિ.૭૬૪ આ સમુદ્રને ઉતરી જવા માટે સજ્ઞોએ આ ઉપાય કહ્યો છે કે, આમાં સંયમરૂપ વાણુ અવશ્ય મેળવવું જોઇએ અને તેને માટે સ કાઇએ મહાન આગ્રહ કરવા જોઇએ.૬૫ આ વહાણુ, જો કે પુષ્કળ પરિષહેારૂપ લાખડી ભારથી ભરપૂર છે તા પણુ અંતે ઉત્તમ સત્ત્વને પ્રાપ્ત કરી આપનારૂં છે અને તેમાં પણ જો ક્રાઇ ઉત્તમ નાવિક— ખલાસી–સદ્ગુરુ મળી આવે તા તા કયા મનુષ્યને આનંદજનક ન થાય ? ” ૭૬૬ કૈવલીની એ દેશના સાંભળીને નાત્તમ રાજાનું મન જે પ્રથમ રાગી હતું તે પણ એકદમ સ્થિર થઈને વિરક્ત બની ગયું. અથવા તેમાં અત્યંત આશ્ચર્ય ન જ ગણાય, કેમકે મુનિઓની શક્તિ સર્વાંઇ કરી શકે છે.૭૪૭ તે પછી તરાત્તમ રાજાએ નમસ્કાર કરી આનંદપૂર્ણાંક ધ્રુવલીને પૂછ્યું કે, હું પ્રભુ ! મારા પુત્રે પૂર્વજન્મમાં શું પુણ્ય કર્યું હતું ? કેમકે, એ પેાતાના રાજ્યને ત્યાગ કરી પાતે એકલા જ એક મિત્રને સાથે લઈ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેને ( ૧૧૮ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy