SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાત્રદાન વિશે શેખરાજ કથા. ૫૧૯ વળી તે મુકુટ ધારણ કરતા હોવાથી કિરીટી નામ ધરાવે છે પણ તે કિરીટિ–અર્જુન નથી, અત્યંત બળવાન હેઈને સર્વને આનંદ ઉપજાવે છે માટે રામ-બલરામના નામને ધારણ કરે છે, પણ હળના આયુધવાળો બલરામ નથી, અત્યંત ઐશ્વર્યવાળો હોઈને ઇન્દ્ર કહેવાય છે, પણ ઇન્દ્ર નથી; તો એને કોની ઉપમા આપીને વર્ણવી શકાય ? પર જેના સુંદર સ્વરૂપને જોઈ પોતાના રૂપની તેની સાથે તુલના કરતાં કામદેવને વિરાગ્ય થઈ ગયો–પોતાનું રૂપ તેના કરતાં ઉતરતું જણાયું તેથી આખા શરીર ઉપરજ કામદેવને વૈરાગ્ય થઈ ગયો અને તે જ દિવસથી આરંભી તેણે પોતાના શરીરને ત્યાગ કરી “અનંગ (શરીર વિનાને) નામ ધારણ કર્યું. ૨૧ લક્ષ્મી ચપળ કહેવાય છે તે પણ એ રાજકુમારની મજબૂત તરવારની સાથે તેની શક્તિરૂપ સાંકળથી જિતાઈને -- બંધાઈને નિરંતર (તે લક્ષ્મી) સ્થિર થઈ રહી છે. પર? તે સમુદ્ર જેવો ગંભીર છે, તેની યશકળા ક્ષીરસમુદ્ર જેવી ઉજજવળ છે અને તેનું બાહુબળ આખી પૃથ્વીના સારને સમુદ્ધાર કરવામાં સમર્થ છે. ૫૨૩ વળી તે માટે દાતા છે, સર્વ લેકમાં માન્ય છે, તેનાં સદ્દગુણો બીજા કોઇના ગુણોની સમાનતા કરતા નથી. તેનું શરીર સવાગે સુંદર છે અને ઘેર ઘેર સ્ત્રીઓના સમુદાય તેનું વર્ણન કરી રહ્યા છે. ૫૨૪ અરે! એટલું જ નહિ પણ જે કોઈ એક સિદ્ધપુરુષની પેઠે સર્વત્ર જઈ શકે છે, વિચરી શકે છે તે મહાકુશળ વાંખકુમાર મારે સ્વામી છે અને હું તેને અત્યંત પ્રિય છું.” ૨૫ તે સાંભળી રાજકુમારીએ પ્રેમપૂર્વક કહ્યું કે, હે પિોપટ ! એ પ્રિય રાજકુમારને જણાવીને તું મારો પૂજ્ય બન્યું છે, તે કહે કે હું તેને કેવી રીતે જોઈ શકું? ૫૬ ત્યારે પોપટે કહ્યું – “એ કુમાર સર્વજ્ઞની પેઠે બીજ મનુષ્યના વિચારને જાણી લે છે અને સામા માણસની જ ઈચ્છા હોય તે વિદ્યાધરની પેઠે આકાશમાર્ગે તેની For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy