SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવન ૨ કાઇનું સ્વામિત્વ હોઈ શકે જ નહિ. ૩૭૪ માટે વૃથા અમને અટકાવીને તું તારી પોતાની શામાટે હલકાઈ કરે છે? ખરેખર તું તો પારકા ઘરમાં કોઈને પૂછયા વિના ઘુસી જઈને મંત્રી થઈ બેઠેલા કોઈ મૂર્ખના જેવો દેખાય છે ” (પાડોશી મટીને ઘરધણી થઈ બેઠેલ જણાય છે !) ૩૭૫ કુમારે એ પ્રમાણે કહ્યું ત્યારે પેલે યક્ષ પણ પ્રત્યક્ષ થઈને કઠોર અક્ષરે બોલ્યો –“રે! રે! ઓ મૂખ! તું નથી જાણતો કે હું આ વડને સ્વામી છું. માટે તું જાણું કે, આ સમયે જ હું તને યમરાજાને અતિથિ બનાવું છું. (તું પિતાને અપરાધ કબૂલ કરતો નથી પણ ઉલટ) મારી સામે ઉત્તર આપે છે; માટે ચાલ, તું તારા ઇષ્ટ દેવનું સ્મરણ કરી લે.” ૩૭૬-૩૭૭ યક્ષનું એ વચન સાંભળી કુમાર ખડખડાટ હસી પડશે. તેણે કહ્યું કે, તે પિતાની દેવાતિથીજ શું ગર્વ કરે છે? અરે ઓ ! તું નથી જાણતા કે, દેવતાઓ પણ પુરુષોનું દાસત્વ કરે છે. ૨૭૮ વળી ક્ષત્રિયોને ઇષ્ટ દેવ તે તેઓની તરવારજ હોય છે અને તે, સદાકાળ મારા હાથમાં જ રહે છે; માટે ચાલ, મારી સામે આવ. ૪૯ કુમારની એ નિર્ભય વાણુથી યક્ષે તેનું અતુલ સાહસ જાણી લીધું, પછી તેના પર વૃદ્ધિ પામેલા પ્રેમને લીધે દંતપંક્તિની ઝળહળી રહેલી કતિવાળા (અર્થાત્ હર્ષનું અટહાસ્ય કરી) યક્ષ બોલ્યો કે, હે સ્વામી! તમે તમારા સાહસને લીધે મને વશ કર્યો છે. હું તમારા દર્શનથી પ્રસન્ન થયો છું અને તમારા સેવકભાવને પ્રાપ્ત થયો છું, માટે (મારી એ પ્રાર્થના છે કે, હું સદાકાળ તમારો અનુચર થાઉં– સેવક ભાવે સાથે જ રહું. ૨૮૦-૩૮ તે વેળા રાજપુત્રે પણ પૂર્વજન્મમાં જાણે પોતાના પરિચયવાળો હોય તેમ એ દેવ પર પ્રીતી કરી તેને પ્રસન્ન કર્યો. કેમકે સજ્જનનું હૃદય સદા કેમળ હોય છે– દયાળુ હોય છે. ૩૮૨ એક ક્ષણવાર તે વૃક્ષ નીચે વિશ્રાંતિ લીધા ( ૮ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy