SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઊકેશ ગ૭ની સ્થિતિ. પ્રિય મળશે એટલે અવશ્ય હું તમને વશ થઈશ અને તમારી ઈચ્છા સત્વર પૂર્ણ કરીશ.” આમ બોલતી દેવીને આચાર્ય મહારાજે કહ્યું કે, “હે દેવિ ! તારે તારા પ્રતિજ્ઞાવચનમાં સદા સ્થિર રહેવું. હું તને કપડા મઠડા (તેવા અનુકરણ શબ્દો) આપીશ. તેમાં તારે આનંદ માનવો.” ૧૯-૨૦૧ તે પછી ગુરુમહારાજના એ વચનને સ્વીકાર કરી દેવી તત્કાળ અંતર્ધાન થઈ ગઈ અને પછી ગુરુમહારાજે પણ સર્વ શ્રાવકેને એકઠા કર્યા.૨૦૨ શ્રાવકે બધા એકઠા થયા એટલે તેની આગળ આચાર્યમહારાજે કહ્યું કે, “હે શ્રાવકે! ઉત્તમ સુંવાળી પૂરી વગેરે પકવાન તૈયાર કરા અને દરેક ઘેર કપૂર, અગર તથા કસ્તુરી વગેરે સુગંધી પદાર્થો એકત્ર કરો તેમજ પુષ્પ પણ સાથે , એ પ્રમાણે બધું કર્યા પછી સત્વર તમે પૌષધશાળામાં આવો એટલે આપણે સંધની સાથે ચંડિકાને મંદિરે જઈએ.” ૨૦૩-૨૧૫ પછી પૂજાની સામગ્રી લઈ શ્રાવકે પૌષધશાળામાં આવ્યા એટલે આચાર્ય મહારાજ તેઓની સાથે દેવીને મંદિરે ગયા. ૨૬ ત્યાં જઈને દ્વારમાં ઉભા રહી આચાર્ય મહારાજે શ્રાવકની સાથે દેવીની પૂજા કરી અને બોલ્યા કે, “ હે દેવી ! હું તારું ઈચ્છિત તને આપું છું, તેને તું ગ્રહણ કર. ” ૦9 એમ કહી પોતાની બન્ને બાજુ રહેલાં પકવાનથી ભરેલાં બે કુંડાઓને બંને હાથ વડે કડ મડડ કરતાં ભાંગી નાખ્યાં અને પછી કહ્યું કે, “ હે દેવિ ! તું તારું ઇષ્ટ ગ્રહણ કર.” ૩૦૮ તે વેળા પ્રત્યક્ષ સ્વરૂપે આચાર્ય આગળ ઉભી રહેલી દેવી બોલી કે, “ મને પ્રિય કડડા મડડા તે આ નહિ પણ બીજા છે.” ૨૦૯ ગુરુ મહારાજ બોલ્યા, “એ તારે કે મારે લેવા-દેવા યોગ્ય નથી. હે દેવિ ! માંસભક્ષક તે રાક્ષસોજ હેઈ શકે પણ દે તે અમૃતનું જ ભજન કરનારા છે. ૨૧° માટે સર્વ શ્રેષ્ઠ જીવદયા ધર્મને જ કેવળ તું આશ્રય કર.” પછી તે દેવી ( ૧ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy