SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાહ ઈશાન ખૂણામાં, આ પ્રમાણે આઠ દિલમાં જંભાદિ દેવીએ આલેખવી-૪૫,૪૬ મિથ્યાત્વી લોકેથી વિરક્ત, જૈન શાસનના દેવ એટલે જિનેશ્વર તથા સદગુરૂના ભક્ત-વિનયવાન એવા શિષ્યને આલેખેલા મંડલની સન્મુખ સારી રીતે સ્નાન કરેલા અને વસ્ત્રાલંકારથી વિભૂષિત એવા તે શિષ્યને મંડલના ચારે ખૂણામાં સેનાએ કરીને સહિત સ્થાપેલા ઘડાઓના પાણીથી ફરી સ્નાન કરાવ્યા પછી તેને પહેલાંના પહેરેલા વસ્ત્રો કઢાવી નાખીને નવા વસ્ત્રાલંકારો આપીને ગુરૂ પરંપરાથી આવેલે એ આ મન્ચ હિ શિષ્ય] તને અગ્નિ, સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર તથા તારાઓના સમૂહની સાક્ષીમાં આપું છું, તે મગ્ન તારે પણ સમ્યકત્વ રહિત પુરુષને ન આપતાં જિનેશ્વરદેવ તથા સદગુરૂના ભકત એવા સઘળા ગુણે કરીને સહિત પુરુષને આપ, પણ લક્ષમીના લોભને લીધે અથવા સ્નેહને લીધે આ વિદ્યા જે તે મિથ્યાત્વીને આપીશ તે તને બાલક, સી, ગાય અને મુનિની હત્યા કરતાં જે પાપ લાગે તે પાપ લાગશે એ પ્રકારના શપથ-સંગન આપીને ગુરૂપરંપરાથી આવેલ મન્ન તેનાં આરાધન વિધાન સાથે મન્તવાદીએ આપ-૪૭, ૪૮, ૪૯, ૫૦, ૫૧, પર. પ્રશસ્તિ – જેઓના બંને ચરણકમળે સઘળા રાજાઓના મુકુટથી વંદન કરાએલા છે, જેઓ પાપનો નાશ કરનારા તથા ભવ્યજનેને સંસારસમુદ્રથી પાર ઉતારનારા છે તે શ્રીમદ્ અજિતસેનાચાર્ય સર્વ ઉત્કર્ષે કરીને જયવંતા વતે છે. જેઓ સઘળા જૈનાગના જાણકાર દુર્ધર એવા સંસારરૂપી જંગલને ઓળગવાને સમર્થ, અને સઘળા કર્મરૂપી ઇધનેને બાળી નાખવાની ક્રિયામાં ઘણા જ વિચક્ષણ એવા કનકસેન નામના આચાર્ય તે શ્રીમદ્ અજિતસેનાચાર્યને શિષ્ય છે. જેનું સારૂએ શરીર ચારિત્ર્યથી ભૂષિત છે, જેઓ બાહા અને અત્યંતર પરિગ્રહથી મૂકાએલા છે, જેઓએ દુઃખે કરીને જીતી શકાય એવા કામદેવને જીતેલે છે તથા જેઓ ભવ્ય જીવનરૂપી કમલેને વિકસાવવામાં સૂર્ય સમાન તેજસ્વી છે, એવા શ્રી જિનસેનાચાર્ય નામના તે કનકસેનાચાર્યના શિષ્ય છે. જેઓએ સરસ્વતી દેવી પાસેથી વરદાન મેળવેલું છે એવા શ્રીમલ્લિણ નામના આચાર્ય તે જિનસેનાચાર્યના શિષ્ય છે. તે મલ્લિષેણાચાર્યએ ચારસો લેક પ્રમાણ ભૈરવપદ્માવતી દેવીને આ કલ્પ ટુંકાણમાં કહેલો છે.-૫૩, ૫૪, ૫૫, ૫૬. જ્યાં સુધી સમુદ્ર, પર્વત, નક્ષત્રોના સમૂહ, આકાશ, ચંદ્ર તથા સૂર્ય વગેરે વિદ્યમાન રહે ત્યાં સુધી આ ભૈરવપદ્માવતી નામને મન્ચ ક૯પ વિદ્યમાન રહો.-૫૭. ઉભયભાષાના કવિશ્રેષ્ઠ શ્રીમદ્વિણરિએ રચેલે ભૈરવપઘાવતીક૫ સંપૂર્ણ For Private And Personal Use Only
SR No.020681
Book TitleBhairav Padmavati Kalp
Original Sutra AuthorN/A
AuthorK V Abhyankar, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1937
Total Pages307
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy