SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८ વળી પાછે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે મનુષ્યનું ભાગ્યે જ સાનુકૂળ હોય તેા પછી મંત્રનું આરાધન કરવાની જરૂર શી? આના જવાબમાં મહાનુભાવ! આપે સમજી લેવું જોઇએ કે જ્યારે તકદીર અનુકૂળ હોય છે, ત્યારે જ યથેાચિત ચેગ મળી આવે છે. અગાઉ આપણે જણાવી ગયા છીએ કે વિશિષ્ટ પ્રકારના અક્ષરાના સંયેાગનું નામ મંત્ર છે. મંત્રના પાઠ કરવાથી જે જે આંદોલના ફેલાય છે તેનાથી એક જાતની અસર વાતાવરણમાં પેદા થાય છે. અવિધજ્ઞાની દેવતાએ પેાતાના જ્ઞાનના બળે સ્વર્ગમાં રહ્યારથા પણ જાણી શકે છે કે અમુક વ્યક્તિ મંત્રને પા કરે છે અને મને યાદ કરે છે. પહેલાંના સમયમાં જ્યારે મહાપુરુષો અને ભાગ્યશાળી હયાત હતા ત્યારે દેવતાઓ હાજર રહેતા હતા, જેનાં વર્ણના આપણને શાસ્ત્રામાંથી મળી આવે છે. તીર્થંકરા, ચક્રવર્તી, વાસુદેવા તથા બલદેવાની પાસે દેવતાઓ પ્રત્યક્ષ આવતા હતા. હાલના જમાનામાં મંત્ર, યંત્ર, તંત્ર અને ઔષધિની શક્તિ પણ દિન પર દિન ઓછી થતી જાય છે અને આવી હાલતમાં મંત્રા જોઇએ તેવું લ ન પણ આપી શકે તે નવાઈની વાત નથી. દા.ત. ચિંતામણિરત્ન જેવાં રત્ન, પારસમણિ અને ચિત્રાવેલી જેવી મહામૂલ્ય વસ્તુએ પણ હાલના જમાનામાં તેેવામાં અગર જાણવામાં પણ આવતી નથી, તેથી તે વસ્તુ જ વિદ્યમાન ન હતી કે મંત્રા વગેરે તૂટ્ટા છે તેમ માની લેવાની જરૂરત નથી. તેથી સમયાનુસાર અને પેાતપોતાના ભાગ્યાનુસાર જે જે મંત્રા અને વિદ્યાએ હાલમાં વિદ્યમાન છે તેનાથી જ સંતેાષ માનવે જોઇએ. બાકી કહ્યું પણ છે કેઃ निर्बीजमक्षरं રાપ્તિ, नास्तिमूलमनौषधं । निर्धना पृथ्वि नास्ति, आम्नायाः खलु दुर्लभाः ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થાત, દુનિયામાં જેટલા અક્ષર છે તે સર્વ શક્તિવાળા છે (અને તેમનું શ્રવણ તથા પદ્મન કરવાથી એક જાતની અસર પેદા થાય છે, જેમકે કાષ્ઠ વ્યક્તિ આપણને સારા શબ્દોથી મેલાવે તે આપણે રાજી થઇએ છીએ અને ખરાબ શબ્દોથી ખેલાવે તે। આપણે નારાજ થઇએ છીએ. આ પ્રમાણે અક્ષરાની શક્તિ સાબિત થાય છે), જગતમાં જેટલી વનસ્પતિ છે તે પણ શક્તિવાળી છે, પૃથ્વી પણ ધન વગરની નથી કારણ કે તેના પેટાળમાં જુદા જુદા રત્નાની ખાણ છે અને તે જ માટે શાસ્ત્રામાં પૃથ્વીને રત્નગર્ભા કહેવામાં આવી છે. પરંતુ દરેક વસ્તુઓની યશેાચિત માહિતી પામવી દુર્લભ છે. મનુષ્યપ્રકૃતિ સ્વાભાવિકતયા ચમત્કારપ્રિય હાય છે. જનતાના મેાટા ભાગ સિદ્ધિ ખાળે છે અને તેના માટે બનતા પ્રયત્નો આદરે છે. છતાં જ્યારે નિષ્ફળતા પ્રાપ્ત થાય છે ત્યારે દ્રાક્ષાના સ્વાદથી અતૃપ્ત રહેલા શિયાળની માફક, યંત્ર, મંત્રા આદિ સર્વે કાલ્પનિક છે. શાક્ત સંપ્રદાયની અસર દરમિયાન ઊપજાવી કાઢેલાં છે’ વગેરે વગેરે અનેક દેાષારાપણ કરી, એ વિદ્યાને જ વખાડવા મંડી જાય છે. પરંતુ આ વિદ્યાએ જો સર્વથા ખાટી હાત તા ભૂતકાળમાં થઈ ગએલા ત્યાગી વૈરાગી શ્રી વજીસ્વામી, વાદિદેવસુર, શ્રી હેમચંદ્રસૂરિ જેવા મહાપુઅે। આ વિદ્યાએ ઉપર વિશેષ લક્ષ આપત જ નિહ. For Private And Personal Use Only
SR No.020681
Book TitleBhairav Padmavati Kalp
Original Sutra AuthorN/A
AuthorK V Abhyankar, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1937
Total Pages307
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy