SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકારની લાલચ તેનું પતન નોતરે છે. તેણે તો અદ્વૈતરૂપી નૌકામાં બેસી જીવન્મુક્ત અવસ્થાને પ્રાપ્ત દરવી જોઈએ. મૌન વાણીનો દંડ છે, ઉપવાસ શરીરનો દંડ છે અને પ્રાણાયામ મનનો દંડ છે. પ્રાણી કર્મોથી બંધનમાં પડે છે અને જ્ઞાનવિદ્યાથી બંધનમુક્ત થાય છે. ત્યારબાદ મારી(બિલાડી) અને વાનરી એમ બે પ્રવૃત્તિની સમજૂતી આપી, પ્રાયશ્ચિત વિધિ જણાવે છે. તેમજ જે દરરોજ બાર હજાર પ્રણવ મંત્રનો જપ કરે છે તે બાર મહિનામાં પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. (૧૧) અવ્યા અવ્યક્ત ઉપનિષ એ સામવેદનું વૈષ્ણવ ઉપનિષદ્ છે. તેના સાત ખંડ છે. તેમાં અવ્યક્ત પુરુષને વ્યક્તરૂપની પ્રાપ્તિ. "આનુષ્ટ્રભવિદ્યાનું સ્વરૂપ, તેનું ફળ વગેરેનો નિર્ણય છે. તેનાં આધારે પરમેષ્ઠી સ્વરૂપ નૃસિંહનું દર્શન અને તે જગત્ની સૃષ્ટિમાં સમર્થ અને સફળ છે. શરૂઆતમાં વાફસૂક્તમાં છે તેમ પ્રશ્નો કરેલાં છે. આ જગતું હતું, જગતના સર્જનહાર હતો, પ્રથમ જળ હતું કે અ?િ એ રીતે પ્રશ્નો કરી, આ જગતનું સર્જન પરમેશ્વરની પ્રેરણાથી અવ્યક્ત પ્રકૃત્તિએ કર્યું છે. તેમ જણાવ્યું છે. આ અવ્યક્ત પ્રકૃતિમાંથી વ્યક્ત પ્રકૃતિ(મહતુ)નું સર્જન થયું. એ પ્રમાણે સાંખ્ય સિદ્ધાંત પ્રમાણે સૃષ્ટિ સર્જન, સત્ત્વ, રજ, તમ ગુણો વગેરેનું વર્ણન છે. (૧૨) કુંડિકા વેદોનાં અધ્યયનબાદ ગુરુ આજ્ઞાથી ગૃહસ્થાશ્રમ કરવો. ગૃહસ્થાશ્રમને અંતે પુત્ર વગેરેને જવાબદારી સોંપી વાનપ્રસ્થાશ્રમ અને અંતે સંન્યાસ આશ્રમ સ્વીકારવો. સંન્યાસ આશ્રમ સમયે શર્મ તેવું કષ્ટ થાય, પૃથ્વી ઉપર અશુ ન પાડવા, કદમૂલ, ફળ વગેરેનો આહાર કરવો એ સંન્યાસીના સામાન્ય બાહ્ય-ધર્મો છે, વાસ્તવમાં ફળની ઈચ્છાનો ત્યાગ કરવો એ જ સંન્યાસ છે. પરમપદની ઈચ્છા કરતાં-કરતાં મૃત્યુંજય પરબ્રહ્મનું ધ્યાન કરવું, કાવાવ વસ્ત્ર ધારણ કરવા, બિલા ઉપર જીવન-નિર્વાહ કરવો, નદી કિનારે શયન કરવું કે દેવાલયની બહાર, પરંતુ કારણ વગર શરીરને કષ્ટ આપવું, સંપૂર્ણ વિશ્વના હિતની ભાવના કરતાં-કરતાં અજ. અમર, અક્ષર અને અને હું પ્રાપ્ત થયો છું એવી ભાવના કરવી, ત્યારબાદ પ્રાણ-અપાનની બાબત જણાવે છે, બ્રહ્મને પૂર્વ જન્મનાં અભ્યાસ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે તેમ જણાવે છે. For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy