SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www. kobatirth.org આવા પુરુષને શ્રુતિ-સ્મૃતિ વગેરેની જાળમાં પડવાની જરૂર રહેતી નથી. તે આત્મસ્થિત રહીને જ બધુ પ્રાપ્ત કરી લે છે. પારકાને પોતાના જેવા વાળી સાવંત્મમય વેદનાનો જ્યારે આવિર્ભાવ થાય છે ત્યારે વિશ્વ ચિરૂપાત્મક લાગે છે. આત્મા પોતાનામાં સ્થિર થાય છે. જ્ઞાનીજન આતાને જ પરબ્રહ્મ બનાવે છે. કારણ કે આ સૃષ્ટિ તો "તારા-મારા રૂ૫ ભાવ વાળી છે, વાસ્તવિક નથી અને તે પ્રપંચ(મારા-તારા સ્વરૂપ) શાંત થઈ જવો તે જ મોક્ષ છે. ચિત્તાકાશ વગેરે ત્રણ પ્રકારના આકાશની ચર્ચા કરીને જણાવે છે કે; સર્વાનન્દમયી સ્થિતિને સમાધિ કહે છે. રાગ-દ્વેષાદિ દોષ નષ્ટ થતાં સમાધિ પ્રાપ્ત થાય છે. સતત અભ્યાસના પરિણામ સ્વરૂપે આત્મામાં રમણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને તે જ મોક્ષ છે; અન્ય બધુ મિથ્યા પ્રપંચ છે, વાસ્તવમાં રાગ-દ્વેષ રૂપી મન જ કલ્પને ક્ષણ અને ક્ષણને કલ્પ બનાવી દે છે. વાસ્તવમાં કશું જ હોતું નથી, મારા વિચારથી (ઋભુ ઋષિ) આ વિશ્વ મનની કલ્પના માત્ર છે. અશાંત મનવાળાને આત્મબોધ પ્રાપ્ત થતી નથી, જયારે સત્યસ્વરૂપ, આનંદમય બ્રહ્મને પોતાનું જ રૂપ માનનાર પુરુષ ભયભીત થતો નથી. હું જ તે બ્રહ્મ છું." તેવી ભાવના જ મોક્ષ પ્રાપ્તિનું શ્રેષ્ઠ કારણ છે તેમ જણાવી, ચાર્વાક, સાંખ્ય વગેરે મતોની ચર્ચા કરી, મરણધર્મો મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જ અમરત્વને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં કર્મક્ષય થઈ જાય છે અને હૃદય-ગ્રચિઓ સ્વયં ખુલી જાય છે. ત્રભુઋષિ પુત્રને નિર્વિકાર ભાવથી આત્મ-ચૈતન્યમાં રમતા રહેવાનું જણાવી મનમાં ઉત્પન્ન થતાં વિકારોને શાંત કરવાના ઉપાયો જણાવે છે. અધ્યાય-૫ : જ્ઞાન અને અજ્ઞાનની સાત-સાત ભૂમિકાઓ, તેની વચ્ચમાં રહેલી અનેક ભૂમિકાઓ વિશે કહે છે; મનનાં સંકલ્પો શાંત થતાં તેનાથી પર પરા સ્થિતિનું સ્વરૂપ કહે છે. આ ભૂમિકાઓના વર્ણનનો ઉદ્દેશ અનિર્વચનીય, આલમ્બન શૂન્ય બ્રહ્મની પ્રાપ્તિ છે. સર્વ પ્રથમ ચેતન શુન્ય સ્થિતિ છે. પરમાત્મા તત્ત્વમાંથી સર્વ પ્રથમ મનનો જ આવિર્ભાવ થયો છે, તેમનાં સંકલ્પથી સંસારની ઉત્પત્તિ થઈ છે, પરંતુ વાસ્તવમાં આ જગત માયા સ્વરૂપ છે, તેમ જાણી વિરક્ત થઈ, સંશય રહિત બની ફક્ત ચિન્માત્રનું દર્શન કરવુંકરો. પર For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy