SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ગૃહન સત્યને વ્યક્ત કરવા માટે અને સરળ રીતે સમજાવવા માટે દૃષ્ટાન્ત જ સરળ અને અનુકૂળ પડે છે. જે આપણે શ્વેતકેતુ-ઉદ્દાલક, ઈન્દ્ર, વિરોચન – પ્રજાપતિ વચ્ચેની કથામાં જોઈ શકીએ છીએ. (સમાજદર્શન - શિક્ષણ તયા તત્ત્વજ્ઞાનમાં ઉદાહરણ સહિત આપેલ છે.) બ્રહ્મમાંથી જ જગત્ ઉત્પન્ન થાય છે, તેમાં જ રહે છે અને તેમાં જ લય પામે છે તે માટે કરોળિયાનું દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. શાંકર વેદાન્તનાં સિક્રાામાં આદષ્ટાન મહત્ત્વપૂર્ણ સ્થાન પામ્યું છે. તે મૈત્રા ઉપનિષદમાં છે. છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકૃતિનાં ખોળે રમનારા ઋષિઓ પાસે પ્રકૃતિની લીલામાંઘી જ ઉદાહરણ આવે છે. દરેક પશુ-પક્ષીની કુદરતી વિશેષતાઓ હોય છે. તે વિશેષતાઓને દષ્ટાન્તરૂપે લઈને ઋષેિ જણાવે છે કે; એવું જ જીવન શ્રેષ્ઠ છે, જે જીવનમાંથી પુનરાવૃત્તિ થતી નથી; પરંતુ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરેલ દર્ભ જેવું નહીં, જે અસક્ત હોવા છતાં બોજ ઉઘવવા માટે વિવશ હાંય છે. જ્ઞાહીજન માટે શાસ્ત્ર બોજા સમાન છે. રાગદ્વેષ યુક્ત પુરુષ માટે જ્ઞાન બોજ સમાન છે. જે અશાંત છે. તેને મન પણ બોજ સમાન છે અને આત્મજ્ઞાનથી હીનને માટે દેહ બોજ સમાપ્ત છે. એ જ પ્રમાણે તૃષ્ણાને માટે કુતરાનું દૃષ્ટાન્ત લઈને આવે છે, કુતરીની પાછળ કૂતરો જેમ ભમતાં રહે છે તેમ તૃષ્ણાવાળું મન આમતેમ ફરતું રહે RC (અ) રાજા બૃહદ્રથ શાકાયન્ય મુનિને પોતાને શરણ આપવાનું કહેતાં જણાવે છે કે, જેમ અંધારા ફુવામાં દેડકો પડેલો હોય તેમ હું પડેલો છું તમે જ મને શરણ આપવા સમર્થ છો. આપ અહીં અજ્ઞાનરૂપી સંસાર તે કૂવો અને દેડકો એટલે પોતે અજ્ઞાનરૂપી પારામાં બંધાયેડા જીવ.૧ ઋષિઓ આત્મા, જીવ અને બ્રહ્મના સ્વરૂપને વ્યક્ત કરવા માટે રૂપકનો સરસ રીતે પ્રોગ કરે છે. અશ્વત્થવૃક્ષ, ધનુષ્ય વગેરેનાં રૂપકો ઉપનિષદોમાં પ્રસિદ્ધ છે. મૈત્રા. ઉપ. બ્રહ્મરૂપી લક્ષ્યને સિદ્ધ કરવા માટે રૂપકનો પ્રયોગ કરતાં સમજાવે છે કે, શરીર ધનુષ્ય છે. ઓમકાર બાણ છે, તેની શિખા (અગ્રભાગ) મન છે, તમો ગુણને ભેદીને તમ અને અતમથી વિંટળાયેલા ભાગને અલાતચકી જેમ સ્કૃતિપૂર્વક ભેદીને આદિત્યવર્ણના ઉર્જામય પરબ્રહ્માને તમસથી પર જોવા જોઈએ. વૃક્ષનું રૂપક ગીતા, કઠો. તેમજ મૈત્રા, ઉપ.માં પણ છે. ગીતાની જંગ ૪ અશ્વત્થવૃક્ષની રજૂઆત કરતાં જણાવે છે કે; ઉપર મૂળ છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી વગેરે તેની શાખાઓ છે. આ અશ્વત્થ જ બ્રહ્મ છે, તે તેજ સ્વરૂપ છે. ૪૫૩ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy