SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કારણ કે અન્નનો પ્રાણ જળ છે. વિધાતાએ જળને તપાવતા જે મૂર્તિ ઉત્પન્ન થઈ તે અન્ન છે. આપણે અનભવીએ છીએ કે ખૂબ જ તડકો અને ગરમી પડે પછી જ વરસાદ આવે છે. જેનો અહીં નિર્દેશ છે. તળોએ વિચાર્યું કે "અમે ખૂબ જ થઈ જઈએ.” ત્યારે તેઓએ પૃથિવીરૂપી અન્નની રચના કરાં.” તેથી જ જયારે ખૂબ વરસાદ પડે છે ત્યારે પુષ્કળ અન ઉત્પન્ન થાય છે. અનપધ્ધનો વિકાર છે તેથી જ વર્ષ થતાં અન્ન ઉત્પન્ન થાય છે. જ્યાં ખૂબ જ વર્ષા થાય છે ત્યાં વધુ અન્ન ઉત્પન્ન થાય છે. જવ, ધાન વગેરે અનવજનદાર, સ્થિર, ધારણ કરનાર અને કૃષ્ણવર્ણના હોય છે. પૃથ્વીનો રસ જળ છે અને જળનો રસ ઔષધિઓ છે.* તેથી જ ઈચ્છીએ તેટલા અન્નની ઉત્પત્તિ જળથી થાય છે. પંજાબમાં ભાખરા નાંગલ બંધથી અન ઉત્પાદનમાં વિક્રમી વધારો થયો છે, તેથી સારો વરસાદ ન થતાં સર્વ પ્રાણીઓ દુઃખી થાય છે કે અન થોડું થશે, સારું વરસાદ થતાં ખૂબ અન થશે એ વિચારે આનંદિત થાય છે. આ જે થિવી અને અંતરિક્ષ છે તે મૂર્તિમાન જળ જ છે.કપ અન્નની અપેક્ષાએ જળ જ શ્રેષ્ઠ છે. અન્નમાંથી જ વીર્ય ઉત્પન્ન થાય છે. આ વીર્ય દ્વારા જ સંતાનનો ઉચ્છેદ થતાં નથી. અનશુદ્ધ અને પોષક હશે તો વીર્ય પણ શુદ્ધ, પોષક અને શક્તિશાળી બનશે. પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થનારા સંતાનો પણ શકિતશાળી હશે. વેદપો આદેશ પ્રજાતંતુ ઉચ્છેદ ન કરવાની સાથોસાથ શ્રેષ્ઠ સંતાનોની પ્રાપ્તિ છે. જે અન્નથી જ શકય બને છે. પંચાગ્નિ વિદ્યામાં પણ આ જ બાબત સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મુખ્ય પ્રાણ જે અન્ન રૂપ છે. તે પ્રાણનું વસ્ત્ર જળ છે. તેથી ભોજન પહેલાં અને ભોજન પછી જળ(આચમન) લેવામાં આવે છે. જે જળ અનનું વસ્ત્ર છે. આ રીતે અન્નનાં વસ્ત્રને જે જાણીને આચરણ કરે છે, તેનું રાષ્ટ્ર અનથી ભરપૂર રહે છે. એટલું જ નહીં આ પ્રારૂપ વિધા જો શુષ્ક વૃક્ષને કહેવામાં આવે તો તે લીલું બની જાય છે. અર્થાત્ આ પ્રાણરૂપ વિધાની ઉપાસના કરનાર અત્યંત શ્રેષ્ઠ બને છે. ૭ =====ાક આહાર શુદ્ધિ અ ભારતીય સંસ્કૃતિમાં અન્ન શુદ્ધિઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. “અનતેવા ઓડકાર" છે એ કહેવત પણ અનશુદ્ધિ ઉપર જ ભાર મૂકે છે. આશુદ્ધિમાં અન્ન સ્પર્શદૂષિત, પ્રાપ્તિદૂષિત, પશુ-પક્ષી, કીટ વગેરેના દોષોથી મુક્ત હોવું જોઈએ તેમ વિદ્વાનો જણાવે છે. છે : ઉચ્છિષ્ટ અત્નનું ભક્ષણ કરવું એ પાપ છે, પરંતુ અન્ન વગર મૃત્યુ આવતું હોય ત્યારે ઉચ્છિષ્ટ મનું ભક્ષણ કરવામાં દોષ નથી તેમ મહર્ષિ ઉપસિ% જણાવે છે. * સનકુમાર આહાર શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે, અંતઃકરણની શુદ્ધિથી નિશા સ્મૃતિ "જd * ૨૪ ડાકા For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy