SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે વાણી વડે ઉચ્ચરિત થઈ શકે તેવું નથી. છતાં જેના વડે વાણી સમજાય છે તેને તે બ્રહ્મ જાણ અને મનવડે ઉપાસાતી વસ્તુ બ્રાહ્મ છે એમ ન સમજ" કેનો. મન નેત્ર, શ્રોત્ર, પ્રાણ વગેરેની પણ આ જ રીતે રજૂઆત કરે છે. આ રજૂઆત ઉપાસના વફાનનો વિવેક રજૂ કરે છે. તેમ છતાં ઉપારાના એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું બળવાન સાધન છે. બાબત ઉપનિષદો સ્પષ્ટ રીતે સ્વીકારે છે. તેથી જ ચતુર્થ ખંડમાં બ્રહ્મની "તા(સુંદર) વસ્તુ છે" એ તે ઉપાસના કરવી એમ કહ્યું છે. જ્યારે ઉપ.નાં પ્રથમ પાંચ પ્રપાકો 30 ઉપાસના, ઉગીથ વગેરે ઉપાસનાથી ભરેલા છે. જ્યારે છઠ્ઠા અ.માં "તત્ત્વમસિ” એ મહાવાક્ય અને સાતમાં અને આઠમાં અ.માં પ્રદ વિધા" અને "દહર વિધા” એમ બન્ને સગુણ ઉપાસનાથી મરેલા છે. નિત્ય-નૈમિત્તિક પ્રાયશ્ચિત કર્મ માટે શાણ્ડિલ્ય વિદ્યા વગેરેની ઉપાસના જરૂરી છે. બ્રાહ્મણે ગાયત્રી ઉપસનિત્ય કરવી જોઈએ, તે સિવાય તેનું અધ:પતન થાય છે. અન્ય કોઈ ઉપાસનાની દ્વિજને અપેક્ષા નથી. માત્ર ગાયત્રી ઉપાસા જ મોહઆપ પાર છે. ૧૦ પ્રા. નલિન ભટ્ટ જણાવે છે કે, પરમ તત્ત્વને પામવા માટે કર્ય, ઉપાસના અને જ્ઞાન જરૂરી છે. નિષ્કામ ભાવે કરવામાં આવેલ કમથી હૃદયની મલિનતા દૂર થાય છે અને ઈશ્વરનુભવ પ્રાપ્ત થાય છે. કર્મોગથી હદય શુદ્ધિ થાય છે અને ધ્યેય નિષ્ઠતા પ્રાપ્ત થાય છે, એયના સતત સ્મરણ માટે ઉપાસના જરૂરી છે. સર્વત્ર ઇશ્વરનો અનુભવ અને તેને પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા અને તે માટેની નરસિંહ મહેતા, મીરા વગેરે જેવી તાલાવેલી એટલે ઉપાસના. આ ઉપાસનાની અવધિ એટલે જ ભક્તિ પરમાત્મા સર્વેના ઉપાય છે, એ ઉપાસ્ય દેવની પ્રાપ્તિનું સાધન ઉપાસના છે. ઉપનિષદો એ ઉપાસનાની વિધિનો નિર્દેશ કરે છે. અધ્યાત્મવિદ્યાની વ્યાખ્યા કરાર છે. તે ઉપાસ્ય પરબ્રહ્મનાં સ્વરૂપમાં ઉપનિષદો કાર્ય, શક્તિ વગેરેના વર્ણન દ્વારા તથા પૃથિવી, ધ, વૃષ્ટિ, પશુઓ, પ્રાણા વગેરે સૃષ્ટિના પદાથો પરબ્રહ્મની પ્રાપ્તિમાં સહાય છે. આત્મવિ થવા માટે કોઈ નિશ્ચિત માર્ગની જરૂર નથી. સાધક પોતાની સુવિધા અનુસાર કોઈપણ માર્ગ પસંદ કરી શકે છે. પાતંજલ યોગદર્શનની જેમ ઉપનિષદો પણ આમ જ્ઞાન માટે કોઈ એક વિદ્યા/ઉપાસનાની જરૂર છે. એમ નથી જણાવતાં પરંતુ વાફ, મન, સંકલ્પ, ચિત્ત વગેરે વસ્તુઓની ધારણા રારા બ્રઘની ઉપાસનાનો ઉપદેશ આપ્યો છે. તેમજ તેના ફળની વિવિધતાનું પણ વર્ણન કર્યું છે. આ વિવિધતા દ્વારા એ બાબતનો નિર્દેશ છે કે કોઈપણ સાધક એક વસ્તુને ગ્રહણ કરીને તે અનુસાર અવિચલિત બનીને ઉપાસના કરે તો તે નિશ્ચિતરૂપે પરમતત્ત્વને પ્રાપ્ત કરી લે છે." ૨૯૬ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy