SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મતિ તે જ એ જેમાં મારું-તારું વગેરે ભેદ હોતા નથી, અને તે સ્થિતિમાં આકાશસ્વરૂપ શિવ, શાશ્વત છે તેનું જ્ઞાન થાય છે, જે સંવેદનશીલ મનમાં કયારેય આવતા નથી. ૨૦ જેની હૃદયગ્રંથીની ગાંઠ ઢીલી થઈ જાય છે, નિભિન્ન થઈ જાય છે. તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. અને ત્યારે તે દુઃોથી પર બની જાય છે અને તેનું ચિત્ત ચન્દ્રમાની સમાન શોભાયમાન બને છે. ૮ પરમતત્વની દિવ્ય ચિન્મયશક્તિ છે, તે પ્રકૃતિના બે ભાગ પાડે છે (૧) અપરા છે પરા. અપરા એટલે અવિદ્યામય પ્રકૃતિઓ અર્થાતુ ભગવાનની દિવ્ય ચેતનાથી વિખૂટી પડેલી એવી મન, પ્રાણ અને શરીરની પ્રકૃતિ, પરાપ્રકૃતિ એટલે સચ્ચિદાનંદમયી, દિવ્ય પ્રકૃતિ જેમાં સુષ્ટિનો આવિર્ભાવ કરનાર વિજ્ઞાનમય શક્તિનો પણ સમાવેશ થાય છે. એ પરાપ્રકૃતિમાં ભગવાનની દિવ્ય ચેતનાશક્તિનો પણ સમાવેશ થાય છે. પરા૫તિમાં ભગવાનની દિવ્ય ચેતનાશક્તિ સદા જાગ્રત હોઈ અવિદ્યાર્થી અને તેનાં સર્વે પરિણામોથી તે સુકા હોય છે. જ્યાં સુધી માનવ અવિધાને વશ હોય છે. ત્યાં સુધી તે અપરા પ્રકૃતિમાં રહે છે, પરંતુ આધ્યાત્મિક વિકાસ સાધીને તે પરા પ્રકૃતિને જાણી શકે છે. તેના સંપર્કમાં આવવા તથા તેની જોડે આપ લે કરવા માટે જિજ્ઞાસા રાખી શકે છે. માનવ પરપ્રકૃતિમાં આરોહણ કરી શકે છે. તથા પરાશક્તિ તેનામાં અવતરણ કરી શકે છે. એવા આરોહણ અને અવરોહણને પરિણામે મન, પ્રાણ અને શરીરની અપરાપ્રકૃતિનું રૂપાંતર સાધી શકાય છે.” પરા અને ગપરા વિદ્યાઓની ચર્ચા સાર એ છે કે, અપરા વિદ્યા–શાસ્ત્ર દાન માત્ર બૌદ્ધિક રહે તો આપત્તિજનક બને છે. જો તે અનુભૂતિમાં સહાયક ન બને તો નિરર્થક છે. તેથી જ ઉપનિષદ શાસ્ત્રજ્ઞાનને અનુભૂતિનાં જ્ઞાનમાં મદદરૂપ ગણે છે. શાસ્ત્રજ્ઞાન-અપરાવિધા એ જ્ઞાનનો પાયો છે. જ્ઞાન પ્રાપ્ત થતાં જ મુક્તિ પ્રાપ્ત થાય છે અને સાકર્મ બળીને ભરમ થઈ જાય છે. સામાન્યનું અવળા-સવળાપણું અસંતોષ ઉત્પન્ન કરે છે. આ બાબતને સમજાવવા ઉપ. માયાઅવિધાનો ઉપયોગ કરે છે. આ દુનિયા એક મોહ છે, આ મોહને સમજાવવાની જરૂર છે. આપણે અહીં ધર્મસંકટમાં છીએ કે, એને સમજાવવા માટે વિજ્ઞાનનકારાત્મક છે, અર્થ નિપજાવી શકતું નથી; મોહ કે ભ્રમ જાળ પણ નહીં, અથવા તે એક વાસ્તવિક સિદ્ધાન્ત છે કે, જેમાં મોહને સંપૂર્ણપણે સમજાવી રાકાતો નથી. ધર્મસંકટ એક પ્રતિકૂળ છે. આપણી જાતને તેનાથી દૂર ન કરી શકાય. દુનિયાનો એ પાસ્તપિક અનુભવ છે. તત્ત્વજ્ઞાન દ્વારા એ સ્થિતિએ પહોંચી શકીએ કે વાસ્તવિક્તા એ મગજનું બંધારણ છે. હૃદયનાં પોલાણમાં બેસી ગયેલ છે; પરંતુ હજી સુધી આપણે અનુભવીએ છીએ કે આ પૂરતું નથી, પના For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy