SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રા. મૅકડોનલ જણાવે છે કે, ઉપનિષદોમાં શ્રી સૌથી વધારે પ્રાચીન ઉપનિષદ ઈ. સ. પૂર્વે on કરતાં વધારે મોડું રચાયેલું ભાગ્યે જ ગણી શકાશે. તેઓ એ બાબતમાં નોંધે છે કે અમુક મહત્ત્વનાં સિદ્ધાંતો બંદ્ધ ધર્મની પહેલાં જાણીતા હોવી જ જોઈએ, તે બાબત બૌદ્ધ ધર્મનાં ઈતિહાસ ઉપરથી સ્પષ્ટ અને થાય છે. મૅકડોનલ આંતર પ્રમાણોને આધારે ઉપનિષદનાં ચાર વિભાગ પાડે છે. પ્રાચીન ઉપનિષદ, બૃહ, છો, તે ઐત. અને કલીતકિ. જે ગધમાં રચાયેલાં છે અને શૈલી પણ પ્રાચીન છે. કેન વચ્ચેના : ' ભાગમાં આવે છે. ત્યારબાદ કઠ, ઈશ, શ્વેતાશ્વર, મુડક અને મહાનારાયણ ઉપનિપદ આવે છે. ત્રીજા વર્ગમાં પ્રશ્ન, મૈત્રા. અને માડૂ આવે છે. જ્યારે ચોથા વર્ગમાં અથર્વવેદનો ઉપનિષદ આવે છે. ૧૪ ઉપનિષદના અભ્યાસી મગનભાઈ દેસાઈ ગ્રંથોમાં ઉલ્લેખાયેલી વંશાવલીને આધારે ઉપનિષદનો સમય નક્કી કરવાનો પ્રયત્ન કરે છે અને એ આધારે મહાભાના યુદ્ધની પહેલાં બે–ચાર પેઢી, મહાભારત ' કાળ અને મહાભારતના યુદ્ધ પછીનો કાળ એમ ત્રણ તબક્કા આપે છે. " વિહા સુવિશે ઉપનિષદની રચના ઈ. સ. પૂ. ૩999 વર્ષની માની છે. જયારે ડ, ગોલ્ડર ઉપનિષદોને આરણ્યકાલ, સંહિતાકાલ અને સ્વતંત્ર ઉપનિષદ કાલ એમ ગણાવે છે. તેમાં આરણ્યક ઉપનિષદો બૃહદારણ્યક, છા, ઐતરેય, કોષકિ અને કેન અત્યંત પ્રાચીન છે. જ્યારે સંહિતાકાળમાં કઠ, શ્વેતાશ્વેતર, ઈશ, મૈત્રાયણી ઉપનિષદો આવે છે અને સ્વતંત્ર ઉપનિષદો ઈ. સ. પૂર્વે ૧૦૦ થી ૨૫00માં આવે છે જેમાં મુડક, પ્રશ, માડૂક્ય છે. બૃહદારણ્યક, છાન્દોગ્ય વગેરે ઉપનિષદોમાં બ્રહ્મની ચર્ચા હોવાથી તેને બ્રાહ્મણકાળનાં માનવામાં આવે છે, બ્રાહ્મણકાળનો સમય ઈ. સ. પૂ. રપ00 માનવામાં આવે છે." પં. શ્રી અન શર્મા ઉપનિષદનો સમય નિશ્ચિત કરવા માટે સ્તુત્ય પ્રયત્ન કરે છે. તેઓ બ્રહ્મ સંપ્રદાય અને આદિત્ય સંપ્રદાય એ વેદાન્તની બે પરંપરામાં સાહિત્ય સંપ્રદાયમાં મહર્ષિ યાજ્ઞવલયની પરંપરાનું મૂળ બ્રહ્મા સુધી માને છે. તેઓ બૃહ. ઉપનિષદમાં “મહર્ષિ પૌતિમાષ્યથી વિપરીત કમથી શરૂ કરીને સ્વયંભુ બ્રહ્મા સુધી પહોંચે છે. છા. ઉપનિષદમાં પણ આ પરંપરા આપેલી છે. આ પરંપરાને આધારે ઉપનિષદ પ્રાચીન સમયથી મહાભારતકાલ સુધીનો સમય દર્શાવે છે. યાજ્ઞવલ્કય–જનકનો સંબંધ અત્યંત પ્રચલિત છે. શતપથ બ્રાહ્મણમાં આ બને નામોમાં કોઈ વિશેષણ નથી, પરંતુ મહાભારતના સમય સુધી અનેક જનકો થઈ ગયા. પ્રાતિસ્વિક જનકનો ઉલ્લેખ મહાભારતના શાંતિ પર્વમાં છે. આ જ પરંપરામાં દેવરાતિ જનકના પિતા દેવરાત નિમિથી સાતમી પેઢી અને સીરધ્વજ જનક ૧૬મી પેઢી પહેલાં છે. તેવો ઉલ્લેખ રામાયણ બાલકાંડમાં છે. આ જ કામ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy