SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનસિક યજ્ઞથી તે પરમતત્ત્વને ઓળખી શકાય છે, એટલું જ નહિ આત્મા, બ્રહ્મ, જીવાત્મા, જગતું, ઈશ્વર વગેરેની તાત્વિક ચર્ચા રહેલી છે. આમ ઉપનિધાં ઉદ્દભવ માટે બાહ્યયજ્ઞીય કર્મકાંડ કારણભૂત બને છે. અન્ય વિદ્યાઓની જેમ બ્રહ્મવિદ્યાનું મૂળ પણ ઇશ્વરક્ત વેદ છે તે વાફક્ત વગેરેમાં આપણે જોયું. ભગવાન પણ વેદ સાર્વજ્ઞાનમય અને વેદથી જ બધું પ્રસિદ્ધ છે તેમ કહે છે. કા. ઉપનિષમાં છે. પણ નારદજી પોતાને મત્રવિનું જણાવે છે આત્મવિત નહીં. પરા વિધા જે ઉપનિષદોમાં છે, પરંતુ તેનું અત્યંત સ્પષ્ટ પ્રતિપાદન સર્વપ્રથમ ટ્વેદમાં જ થયેલ છે. ઋગ્યેદ જ સ્પષ્ટપણે ઘોષણા કરે છે કે "ઋચાઓ તે પરમ વ્યાપક, અવિનાશી પરમેશ્વરનું શાન કરાવે છે જેમાં સંપૂર્ણ ચલ-અચલ જગતુ સમાવિષ્ટ છે. જે એ ન જાણે તો તેને વેદ જાણવાથી શો લાભ?" આ બાબત એ સ્પષ્ટપણે જણાવે છે કે માત્ર શબ્દજ્ઞાન પર્યાપ્ત નથી, લક્ષ્ય પ્રાપ્તિ, આત્મવિતુ થવું તે અત્યંત જરૂરી છે. આ માટે અમારા વિશે કહેવું જોઈએ તેમ કઠાં. જણાવે છે. છા, ઉપનિષદ્ પણ તેની જ વ્યાખ્યા કરે છે. માડૂક્યો.માં તો તેનું જ પ્રતિપાદન છે. ઉપનિષદો બ્રહ્મવિદ્યાની પ્રતિષ્ઠા વેદમાં જ કહે છે. એટલું જ નહીં તેના મંત્રો તેમાંથી જ લે છે. આ અવ્યક્તોમાં વાકસૂક્તની વાત, "પ્રથમ આકાશ નહતું? પ્રથમ વાયુ હતો? પ્રથમ તેજ હતું?" વગેરે બાબતે પ્રશ્નો ઉભા કરી,અવ્યક્તો. આગળ વધે છે. ઉપનિષદ્ધાં તત્ત્વજ્ઞાનનું બીજ વેદમાં જ પથરાયેલું છે, પરંતુ તે પ્રાથમિક સ્વરૂપે અને છૂટું છવાયું રહેલું છે, જેને વ્યવસ્થિત તર્કબદ્ધ કરવા માટે ઋષિઓ સતત પ્રયત્નશીલ છે અને તેથી જ આ પ્રકારની અવઢવમાં તે કયારેક આત્મા અને બ્રહ્મને અલગ નિરૂપે છે, કયારેક એક નિરુપે છે, કયારેક બ્રહ્મને નિર્ગુણ અને કયારેક સગુણ, આમ ઉપનિષ મૂળ વેદમાં રહેલાં છે. ઉપનિષદ્ વેદ સાહિત્યમાંથી અલગ તારવી સ્વતંત્ર સંગ્રહરૂપે ગોઠવવાનો પ્રયત્ન શ્રી રામાનુજાચાર્યના જીવન પર્યત(૧૦૧૭-૧૧૩૭) થયો હતો. પરંતુ તે બાબતનો અંતિાસિક પુરાવો હજુ સુધી મળેલ નથી. પરંતુ વિજયનગર રાજયના સમયે તેરમાં-ચૌદમા સૈકામાં સાયણ-માધવનો વેદમાર્ગના પુનરુદ્ધારના બળવાના પ્રયત્નને કારણે મુખ્ય ઉપનિષદ્રી વિદ્યાનું સરલ વિવરણ સંગ્રહરૂપે થયું. વિદ્યારણ્ય સ્વામી (૧૩૫૦)નો અનુભૂતિ પ્રકાશ' નામનો ગ્રંથ છે, જેમાં ૨૦ અધ્યાય છે. જેમાં ઉપનિષદોનો સંગ્રહ વિવરણરૂપે છે. જે વેદશાખાને અનુસરતી રચના છે.” For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy