SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરષદેખાય છે તે જ અવિનાશી અને અભય બ્રહ્મ છે, તે પ્રકાશરૂપ છે. તેની ઉપાસના કરનાર પરમગતિને પામે છે." પ્રા. દવે જણાવે છે કે- વ્યક્ત-અવ્યક્ત વચ્ચે, સાકાર-નિરાકાર વચ્ચે, સગુણ-નિર્ગુણ વચ્ચે, નિષેધ અને વિધેયક વચ્ચે બૌદ્ધિક ધોરણો સંવાદ કલ્પિ શકતાં નથી. વ્યાપક એવું "બ્રહ્મ" આ તમામ દન્દ્રોને પોતામાં સમાવિષ્ટ કરે છે. આથી જ એ વ્યાપકતા સદા સૌનો આદર્શ રહે એ માટે તમામઉપનિષદ જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં પણ એક બ્રહ્મની જ વાત કરે છે. છતાં આ અનુભૂતિ જયારે પણ શબ્દ દેહ પામે છે ત્યારે પ્રતીકોનો આશ્રય તો લેવાનો જ રહે છે." nબ્રહ્મતત્ત્વ: ડૉ. રાનડે સત્તા અંગેની ઉપ.ની વિચારણાને ત્રિવિધ ગણાવે છે. ડૉ. કે “અનુસાર માનવ મનના બંધારણને લીધે જ, માનવી સમક્ષ વિચારણાના ત્રણ માગ ખુલ્લા હોય છે, સૌ પ્રથમ માનવી પોતાની આસપાસ જગત તરફ જુએ છે. એ પછી તે પોતાની ભીતર જુએ છે. અને તે બાહ્ય અને આંતર્દષ્ટિઓને સમન્વિત કરે એવી સવોપરી સત્તા તરફ જુએ છે. વળી, તેઓ લખે છે - "માનવી આંતરદર્શન કરે એ પહેલાં તે બાહ્ય જગતમાં દણ્ડિનાખે છે અને ઊર્ધ્વમાં દષ્ટિ કરે એ પહેલાં, તે આંતરદર્શન કરે છે. ધર્મનો આ વિકાસ જે તબક્કા દર્શાવે છે કે "તાર્કિક દપ્ટેિએ એકબીજાના પૂર્વગામી હોય છે, ઐતિહાસિક નહિં. ડૉ. રાનડેની વિવિધ વિચારણામાં વિશ્વ નિર્માણમીમાંસાની દૃષ્ટિ, ઈશ્વવિદ્યાની દષ્ટિ અને અંતે મનોવૈજ્ઞાનિક દષ્ટિ છે. રાનડેના આ દષ્ટિબિંદુમાં ઉપ.માં રહેલાં બ્રહ્મતત્વો અંગેના મોટાભાગના ઉચ્ચારણોનું તારણ આવી જાય છે. ઉપનિષદો અધ્યાત્મ દષ્ટિથી જ બ્રહ્મતત્વની વિચારણા કરે છે. છા, ઉપ.ના ત્રીજા અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે આપણા હૃદયમાં બિરાજતો આમા ચોખાનો દાણો, જવ, સરસવ વગેરેથી પણ સૂમ છે. સાથોસાથ એ જ આત્મા પૃથ્વી, અંતરિક્ષા, સ્વર્ગ અને અન્ય સો લોકથી મહાન એટલે કે અનંત છે. સર્વકર્મ-કામ-ગંધરસવાળો છે. સર્વમાં વ્યાખ, વાણી અને રભ્રમરહિત એ જ અંતરામાં કે.નેત્ર, કર્ણ, વાણી વગેરેને જેનાં દ્વારા શક્તિ પ્રાપ્ત થાય છે, તે બ્રહ્મ છે તેમ જણાવી તન : નામવાળા બ્રહ્મને જણાવી તે બ્રહ્મ જ સર્વ શક્તિમાન છે. તે જણાવવા ઉમાદેમવતી આખ્યાન આપે છે. દાનવો ઉપર વિજય પ્રાપ્ત થતાં દેવો ગર્વિષ્ઠ બની જાય છે. દેવોના ગર્વને ઉતારવા અને તેઓને ૧:૫ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy