SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી સંધ્યા કેવા પ્રકારની ? -- ટૂંકમાં જ્ઞાન સંન્યાસીને આવા કોઈ બાહ્ય નિત્ય-નૈમિત્તિક કર્મની જરૂર નથી. ભિક્ષા માટેના વિશિષ્ટ નિયમો : ભિક્ષાના સમયે ડાબા અથવા જમણા માર્ગેથી પ્રવેશ ન કરવો. જે ઘરમાં કોઈ દોષ ન હોય તે ઘરને ભૂલથી કે મોહથી છોડવું નહીં. વેદ પરંતુ શ્રદ્ધા-ભક્તિથી રહિત હોય તો તેને ત્યાં ભિક્ષા માટે જવું નહીં પરંતુ સંસ્કારહીન – ભક્તિવાળો હોય તો તેને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી. હંમેશા હાથથી ભિક્ષાવૃત્તિ કરી જીવન નિર્વાહ કરવો. એક જ ઘરે ભિક્ષા માંગવી; પરંતુ શાંત ભાવથી પ્રતિક્ષા કરતાં હોય ત્યાં પ્રયત્નપૂર્વક જવું. બે ભાગમાં ખાવું, એક ભાગમાં પાણી પીવું અને એક ભાગ વાયુ માટે ખાલી રાખવું. રાત્રીના ભોજન ન કરતાં ઉપવાસ કરવો. શુદ્ધ આચારવાળા પાંચથી સાત ઘરોએ જ ભિક્ષા માટે જાવું, અને ગાયને દોહવામાં જેટલો સમય લાગે તેટલો સમય જ પ્રતિક્ષા કરવી, ભિક્ષાવૃત્તિ માટે વસ્તીમાં જાય ત્યારે " f"નું ત્રણવાર ઉચ્ચારણ કરી ભિક્ષા માર્ગ. જે આ પ્રમાણે ઉપ.ને જાણે છે તે જ સાચો જ્ઞાની છે." પાંચ પ્રકારની ભિક્ષા : (૧) અસંકલ્પિત ભિક્ષા: મનમાં સંકલ્પ કર્યા વગર ત્રણ, પાંચ અથવા સાત ઘરોમાં મધમાખીની સમાન ભિક્ષા ગ્રહણ કરવી તે અસંકલ્પિત માધુકરી ભિક્ષા છે. (૨) પ્રાક–પ્રણિત ભિક્ષા : પ્રાતઃકાળ અથવા આગળના દિવસે આવીને ભક્તિપૂર્વક પ્રાર્થના કરેલી હોય તેને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી તે પાણી મિક્ષ કહેવાય છે. (૩) અયાચિત : ભિક્ષા માટે ફરના સંન્યાસીને કોઈ નિમંત્રિત કરે તો તે ભિક્ષા અપાચિત બિશ્ના છે. (૪) તાત્કાલિક ભિક્ષા : ભિક્ષા માટે નીકળવાના સમયે જ કોઈ બ્રાહ્મણ આવીને ભોજન કરવાનું કહે તો તે તાત્કાલિક ભિક્ષા છે. તેને હંમેશાં ગ્રહણ કરવી. ૧૪૮ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy