SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org પ્રાણને દેહમાંથી અલગ કરવા તે હિંસા છે, તેનાથી ભિન્ન કોઈ હિંસા નથી. સાથો સાથ એવો ભાવ રાખવો કે આત્મા સર્વત્ર વ્યાપ્ત છે અને શસ્ત્ર વગેરે દ્વારા છેદી શકાય તેમ નથી તે પણ અહિંસા કહેવાય છે.” કૃતા(પોતે કરેલી) કારિત કરો એમ કહી બીજાની પાસે કરાવેલી) અને અનુમોદિતા(સારું કર્યું એમ કહી અનુમોદન કરેલી) એમ ત્રણ પ્રકારની હિંસા જણાવી, તેનાં અનંત ભેદો પૂગુર્દેવ જણાવે છે.? અહિંસા સિદ્ધ થતાં હૃદયમાં રહેલ વૈરબુદ્ધિનાશ પામી જાય છે, તેની નજીકમાં રહેનારાં પરસ્પર વૈરવાળા પ્રાણીઓ પણ પોતાના વરનું વિસ્મરણ કરે છે, ને સાધકનો ચિત્તની નિર્મલાવડે યોગમાં અધિકાર ઉત્પન્ન થાય છે. અહીં યજ્ઞ માટે કરવામાં આવતી હિંસા માન્ય છે તેમ જણાવેલ છે, પરંતુ ધોગશાસ્ત્રમાં પતંજલિએકૃત-કારિત અને અનુમોદિત હિંસ યોગાભ્યાસી મનુષ્યએ ન કરવી જોઈએ તેમ જણાવેલ છે. મનુસ્મૃતિ પણ આ જ બાબત કહે છે. તેમાં થશીય હિંસાનો પણ નિષેધ છે. તેથી જા. દ. ઉપ.નું ઉપરનું વાક્ય "પક્ષીય હિંસા સિવાય" એ આ ઉપ. યજ્ઞમાં હિંસા વિશેષ પ્રચલિત હશે તે સમયે આ ઉપ.ની રચના થઈ હશે તેવું દર્શાવે છે કે જે સમયે વેવાક્યોનું અર્થઘટન યજ્ઞમાં હિંસાને અનુમોદન આપતું હતું, પરંતુ આધુનિક સમયે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ વેદો ઉપર ભાષ્ય રચી યજ્ઞમાં હિંસા વજર્ય છે એમ ખૂબ સ્પષ્ટ રીતે સિદ્ધ કરેલ છે. ” (૩) અસ્તય (અપરિગ્રહ) : બીજાનાં ધન, ઐશ્વર્ય, મણિ, મુક્તા, રત્ન, સુવર્ણ વગેરે કોઈપણ નાની-મોટી વસ્તુ ઉપર મન લલચાવવું નહીં તે અસ્તેયં છે. સંસારના બધાં જ વ્યવહારોમાં અનાત્મ-બુદ્ધિ રાખીને આત્માથી ભિન્ન માનવું તેને પણ જ્ઞાની પુરુષોએ અસ્તેય કહેલ છે. અસ્તેય માટેનો બીજો શબ્દ અપરિગ્રહ છે, જેનો અર્થ છે, ચારે બાજુએથી ભોગ-ઉપભોગનાં સાધનો ગ્રહણ ન કરવા. એટલું જ નહીં, બીજાનાં સાધનો ન લેવા કે ઈચ્છા પણ ન કરવી તેમજ પોતાની શક્તિથી કે તપથી પ્રાપ્ત થતાં હોય તો તેને પણ ગ્રહણ ન કરવા તે અપરિગ્રહ છે. તેથી જ નચિકેતા મને જણાવે છે કે- ''આ પર્વે બંધનકારક અને નાશવંત છે તેથી મારે જાતાં નથી. ૮ શ્રી ભાણદેવને મતે માત્ર ધન જ નહીં અધિકાર, વિચારો, યશ, માન વગેરેને પણ અસ્તેય લાગુ પડે છે. અસ્તેયવ્રત પાલનનું ફળ જણાવતાં પતંજલિ કહે છે... "અસ્તેયમાં પ્રતિષ્ઠિત થવાથી સર્વ રત્નો ૮૫ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy