SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવંતની ૨૫૦૦ વર્ષ પુરાણી મનોહારિણી સુંદર મૂર્તિ સોહી રહી છે. મૂલનાયક શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવંત અને અન્ય જિનમૂર્તિઓ – શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ વગેરે પ્રભુજીઓ પણ કેવા સરસ છે ! અને આ ભમતિમાં જુઓ... નાની અનોખા પ્રકારની કેટલી પ્રાચીન પ્રતિમાજી છે ! બધા સાથે મળીને બોલો કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિતં કર્મ કુતિ, પ્રભુસ્તુલ્યમનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયેઽસ્તુ વઃ ॥ ચાલો... હવે ગંગાના ઘાટે આવેલા શ્રી પાર્શ્વપ્રભુજીના દેરાસરે જઈએ... જુઓ; આ સામે ભાગિરથી ગંગાના નીર હિલોળા લઈ રહ્યા છે. આ એ સ્થળ છે : જ્યાં ગંગાના કિનારે હજારો વર્ષ પહેલાં ધૂણી ધખાવીને કમઠ તપાસ બેઠો હતો. એણે ધખાવેલી ધૂણીના લાકડામાં એક સર્પ બળી રહ્યો હતો. શ્રી પાર્શ્વકુમારે જ્ઞાનબળથી આ જાણ્યું.. અને તેઓ અશ્વારૂઢ બનીને અહીં આવ્યા અને બળતા સર્પને તેમણે બચાવ્યો. નવકાર મહામંત્ર સંભળાવીને તેઓને શાતા આપી. સર્પ નાગરાજ ધરણેન્દ્ર બન્યા. - For Private and Personal Use Only
SR No.020623
Book TitleSammetshikharjini Bhav Yatra
Original Sutra AuthorN/A
AuthorHarchand Khetsibhai Vora
PublisherHarchand Khetsibhai Vora
Publication Year2001
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy