SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્ત વિક્ષિપ્ત છે, તેને આ દુઃખ આદિ બાધાઓ વધુ સતાવે છે, પરંતુ જેનું ચિત્ત એકાગ્ર થઈ ગયું છે તેને નથી સતાવતાં. માટે એ બાધાઓને પણ યોગાભ્યાસીએ અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા દૂર કરવી જોઈએ. એ ઉપ-વિક્નોને વ્યાસ-ભાગ્યમાં આ પ્રકારે સમજાવ્યાં છે – (૧) દુઃખ - જેનાથી પીડિત થઈ પ્રાણી તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તે પ્રતિકૂળ અનુભૂતિ દુઃખ કહેવાય છે. પ્રાણીઓનાં સમસ્ત દુ:ખોને ત્રણ ભાગોમાં વિભક્તકરવામાં આવ્યા છે. - (૧) આધ્યાત્મિક-જે શરીરથી સંબંધ રાખે છે. તેની અંતર્ગત શારીરિક જ્વર આદિ રોગ તથા માનસિક રાગ-દ્વપ આદિથી થનારાં દુઃખ આવે છે. (૨) આધિભૌતિક --જે શત્રુઓ, સિંહ, વાઘ, સાપ તથા મચ્છર આદિ થી દુઃખ પ્રાપ્ત થાય છે તેને ભૂત-પ્રાણીસમૂહથી પ્રાપ્ત થવાના કારણે આધિભૌતિક કહે છે. (૩) આધિદૈવિક – જે દેવ અર્થાત્ મન તથા ઈદ્રિયોની અશાન્તિથી તેમ જ પ્રાકૃતિક આફતોથી=અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિઠંડી, તથા અતિગરમી અને ભૂકંપ આદિથી પ્રાપ્ત થાય છે. (૨) દૌર્મનસ્ય - ઈચ્છા પૂરી ન થવાથી અથવા તેમાં કોઈ બાધા આવી જવાથી મનમાં જે ક્ષોભ (ઉદ્વિગ્નતા) ઉત્પન્ન થાય છે, તેને દૌર્મનસ્ય કહે છે. એ વિઘ્નના ઉપસ્થિત થતાં યોગાભ્યાસ પ્રત્યે પ્રવૃત્તિ જ નથી થઈ શકતી. પરંતુ એકાગ્ર ચિત્તવાળા યોગીને એ વિઘ્ન વિક્ષિપ્ત નથી કરતું. (૩) અંગમેજયત્વ - શરીરના અંગોનું કંપન =હાલવું, ડોલવું. એ કંપન ભલે ગમે તે રોગના કારણે હોય, અથવા આસનની સિદ્ધિ ન થવાથી હોય, એ યોગાનુષ્ઠાનમાં બાધક થાય છે. એટલા માટે આસનના અભ્યાસ દ્વારા નિચેષ્ટ બેસવાનો અભ્યાસ કરવો જોઈએ. અને કંપન રોગ હોય તો દવા આદિથી દૂર કરવો જોઈએ. (૪-૫) શ્વાસ-પ્રશ્વાસ – નાસિકા-છિદ્રોથી બહારના વાયુને અંદર લેવો શ્વાસ અને અંદરના વાયુને નાસિકા-છિદ્રોથી બહાર કાઢવો “પ્રશ્વાસ' કહેવાય છે. જો કે શ્વાસ-પ્રશ્વાસની ગતિ સ્વાભાવિક હોય છે. પરંતુ દમ આદિ રોગોના કારણે, અત્યંત વેગથી આવવું જવું યોગાભ્યાસમાં બાધક થાય છે (બને છે) કેમ કે એવી દશામાં શ્વાસ-પ્રશ્વાસ સાધકની ઈચ્છાની વિરુદ્ધ થઈ જાય છે. અને જયારે પ્રાણાયામનો અભ્યાસ કરવા લાગે છે, તો તે વખતે એ ઉપવિપ્ન બાધક બની જાય છે. ૩૧ હવે-સમાધિના શત્રુ આ વિક્ષેપોનો તે અભ્યાસ અને વૈરાગ્ય નામના ઉપાયોથી નિરોધ કરવો જોઈએ. તેમાંથી અભ્યાસના વિપયનો ઉપસંહાર કરતાં સૂત્રકાર આમ કહે છે - __ तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः ॥३२॥ સૂત્રાર્થ - (તપ્રતિષેધા.) જે કેવળ એક અદ્વિતીય બ્રહ્મ છે, તેમાં જ પ્રેમ તથા સર્વદા તેમની જ આજ્ઞા પાલનમાં પુરુષાર્થ કરવો, તે જ એક તે વિઘ્નોના નાશ કરવાનું વજરૂપ શસ્ત્ર છે, બીજું કોઈ નથી. એટલા માટે બધા મનુષ્યોએ સારી રીતે પ્રેમભાવથી પરમેશ્વરના ૮૮ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy