SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નોંધ - (૧) સ્વાધ્યાય શબ્દનો અર્થ યોગ-ભાગ્યમાં આ પ્રકારે સ્પષ્ટ કર્યો છે – પ્રણવ આદિ પવિત્રકારક મંત્રોનો જપ તથા મોક્ષ જણાવવાવાળાં શાનોનાં અધ્યયનને સ્વાધ્યાય' કહે છે. (૨) આ પ્રણવ જપનું ફળ સૂત્રકારે (૧/૨૯)માં વિઘ્નોનો નાશ તથા પરમાત્મસાક્ષાત્કાર બતાવ્યો છે. હવે - આ પ્રણવનો જપ કરનાર યોગીને શું (ફળ) મળે છે? तत: प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ॥२९॥ સૂત્રાર્થ - પછી તેનાથી ઉપાસકોને આ ફળ પણ મળે છે... (તત પ્ર) અર્થાત્ તે અંતર્યામી પરમાત્માની પ્રાપ્તિ તથા (અંતરાયો) તેના અવિદ્યા આદિ ક્લેશો તથા રોગરૂપ વિનોનો નાશ થઈ જાય છે. (ઋ.ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - જે (યોગનાં) વ્યાધિ આદિ મંતરાય = વિપ્ન છે, તે શ્વપ્રણિધાન = ભક્તિ વિશેપ (પ્રણવ જપ આદિ)થી અથવા બધી ક્રિયાઓને ઈશ્વર અર્પણ કરીને અને તેના ફળની ઈચ્છાના ત્યાગથી નથી થતાં અને ઈશ્વર-પ્રણિધાન કરનાર યોગીને વપર્શન = પોતાના આત્મા (જીવાત્મા)ના સ્વરૂપનું અથવા પરમેશ્વરના સ્વરૂપનું જ્ઞાન પણ થઈ જાય છે. જેમ પુરુષ= પૂર્ણ ઈશ્વર શુદ્ધ = અવિદ્યા આદિ દોષ રહિત હોવાથી સદા પવિત્ર, પ્રસન: = પાપાચરણ આદિનો સર્વથા અભાવ હોવાથી સદા નિર્મળ શેવન = અસહાય (સૃષ્ટિ આદિની રચનામાં કોઈ પણ બીજાની અપેક્ષા ન રાખનાર) અનુપમ : = નિર્વિકાર અથવા જાતિ - આયુ - ભોગ આદિ રૂપ ઉપસર્ગ = સંપર્કથી રહિત છે. એવા જે આ જીવાત્મા) બુદ્ધિ (વુદ્ધિતિ જ્ઞાનેન્દ્રિયાપુપતક્ષા) થી થનારા જ્ઞાનના પ્રતિસંવેરી = અનુભવ કરનારા છે. પુરુષ : શરીરમાં શયન કરનારા છે, તે પોતાના સ્વરૂપનો સમ્યક્ બોધ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - આ સૂત્રમાં મોંકાર-જપ (પરમેશ્વરની ઉપાસના)ના બે લાભ બતાવ્યા છે. (૧) અંતર આત્માનો સાક્ષાત્કાર (૨) વિપ્નોનો નાશ. સૂત્રમાં પ્રત્યે વેતનધામઃ' શબ્દપઠિત છે. જેનો અર્થ છે આપણી અંદર બેઠેલો ચેતન આત્મા. તેનાથી આત્મા અને પરમાત્મા બન્નેનું ગ્રહણ થાય છે. પરંતુ અહીંયા પ્રસંગ અનુસાર અંતર્યામી પરમાત્માનું ગ્રહણ જ સંગત થાય છે. કેમ કે આ સૂત્રમાં ગોકારના જપનું ફળ બતાવવામાં આવ્યું છે. કારનો જપ તથા તદર્થ-ભાવના કરવાથી ‘ગોરૂમ નો જ સાક્ષાત્કાર થવો જોઈએ અને કેમ કે પરમેશ્વરના સાક્ષાત્કારને માટે પરમેશ્વરની જેમ આત્માને પણ શુદ્ધ થવું જોઈએ. એટલા માટે જીવાત્મા પણ જપ-કરતાં કરતાં શુદ્ધ થઈ જાય છે. એ જ તેનું પોતાનું સ્વરૂપ જાણવાનું છે અને વ્યાસ-ભાગ્યનો પણ આજ અભિપ્રાય છે કે ઈશ્વર-પ્રણિધાનથી વપર્શનHTT= જીવાત્માના સ્વરૂપનો પણ બોધ થઈ જાય છે. અહીં “ શબ્દ સમુચ્ચયાર્થક છે. જેનાથી પરમાત્મા તથા જીવાત્મા બંનેનાં સ્વરૂપનું જ્ઞાન અભિપ્રેત છે. ८४ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy