SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાપ્ય અનુવાદ – (૬૪) રસીઓ તરફ આસક્તિ, અન્નપાન=ભોગ્ય પદાર્થો પ્રત્યે આસક્તિ અને ઐશ્વર્ય=ાર્ફવરસ્ય ભવ) પ્રભુતા (ઊંચા પદોની લાલસા) એ દૃષ્ટ વિષયોમાં વિતૃM વાસના રહિત ચિત્તનું માનુશ્રવિ) (અનુશ્રવો વૈદ્ર તત્ર વિતા). એ વ્યુત્પત્તિથી વેદબોધિત f= પારલૌકિક આદિ સુખ વિશેષ, વૈ?ૌ= યોગીઓની સંસ્કાર માત્ર અવશિષ્ટ ચિત્તથી મોક્ષસુખ જેવી અનુભૂતિ, પ્રતિતત્વ= યોગીઓના ચિત્તનું પ્રકૃતિલીન ન થતાં સુધી, મોક્ષ સુખની સમાન અનુભૂતિ, એ આનુશ્રાવિક વિષયોમાં વિસ્તૃM= વાસના રહિત વિરક્ત, દિવ્ય-અદિવ્ય-દિવ્ય-ગંધ આદિનું જ્ઞાન અને સામાન્ય વિષયોનો સંયોગ થવા છતાં પણ, વિષયોના દોષોને જાણવાવાળા ચિત્તની વિવેકજ્ઞાનના બળથી, વિષયોના ભોગો પ્રત્યે ત્યાત્મિ, દે–ત્યાજ્ય ભાવ (દ્વિપ આદિ) ૩૫ = ગ્રાહ્યભાવ (રાગ આદિ)થી શૂન્ય જે વશીકરસંજ્ઞા = સ્વાધીનતાનુભૂતિ = વિષયોમાં આસક્ત ન થવાની દશા છે, તેને વૈરાગ્ય કહે છે. (અગ્રિમ-સૂત્રમાં પરવૈરાગ્ય કથનથી આને અપરવૈરાગ્ય કહે છે.) ભાવાર્થ – ચિત્તની વૃત્તિઓના પ્રવાહને રોકવાને માટે વૈરાગ્ય બંધના સમાન હોય છે. જેમ બંધ બાંધવાથી જળનો પ્રવાહ અટકી જાય છે, તે જ રીતે વૈરાગ્ય પણ વિષયોનુખ ચિત્તવૃત્તિઓના પ્રવાહને રોકી દે છે. “વૈરાગ્ય' શબ્દનો અર્થ પણ એ જ બતાવે છે – વિતિ રાજે વિષપુયા સવિરી': વરસ્થમાવી વૈરાગ્યમ્' અર્થાત્ રૂપ આદિ વિષયોથી રાગ રહિત થવું વૈરાગ્ય છે. અને રાગનો અર્થ છે- ‘સુરવાનુશથી ૨T : ' (વ્યાસ ભાય ૧/૧૧) લૌકિક ભોગો પ્રત્યે જે લાલસા પેદા થાય છે, તેનું નામ રાગ છે. સંસારમાં રાગોત્પાદક વિષય બે પ્રકારના છે. (૧) દષ્ટ=જે સંસારમાં ભોગવાય છે. જેમ કે સ્ત્રીઓ પ્રત્યે રાગ, અન્નપાન=ભોગ્ય પદાર્થો પ્રત્યે લાલસા, અને ઐશ્વર્ય=ધન આદિ ઐશ્વર્ય અથવા ઊંચા પદને પ્રાપ્ત કરવાની ઈચ્છા. એ બધા એવા વિષયો છે કે જે એન્દ્રિયક સુખદ હોવાથી આ શરીરમાં જ ભોગવાય છે. એ જ વિષય-સુખોને ભાગ્યકારે દિવ્યાદિવ્ય શબ્દોથી પણ સ્પષ્ટ કર્યો છે. અર્થાત સામાન્ય મનુષ્યોનો અનુભૂત વિષય અદિવ્ય કહેવાય છે અને જે યોગાભ્યાસ કરતાં કરતાં મનને એકાગ્ર કરતી વખતે નાસિકા અગ્રભાગ આદિસ્થાનો પર દિવ્યગંધ, દિવ્યરસ, દિવ્યરૂપ આદિની અનુભૂતિ થાય છે, તેમને દિવ્ય વિષય કહેવાય છે. જોકે એ દિવ્ય વિષય મનને એકાગ્ર કરવામાં પ્રથમ સાયક હોય છે. (થાય છે.) પરંતુ એ વિષય પણ સાધકને આગળ વધવામાં પ્રબળ બાધક થાય છે. (૨) બીજા વિષય આનુશ્રવિક–વેદ આદિ શાસ્ત્રો દ્વારા જાણવામાં આવે છે. તેમાં સ્વર્ગ સુખવિશેપ, જે યજ્ઞ આદિ શ્રેષ્ઠ કર્મોથી કાળાન્તરે પ્રાપ્ત થાય છે, તે આ વર્તમાન શરીરમાં અથવા દેહાન્તરમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. અને વૈદેહ્ય તથા પ્રકૃતિલય સુખના વિષયમાં વ્યાસમુનિએ આ પ્રમાણે વર્ણન કર્યું છે - જવાના રેવાના મવપ્રત્યય, તે હિ संस्कारमात्रोपयोगेन चित्तेन कैवल्यपदमिवानुभवन्त : स्वसंस्कारविपाक तथा ૬૪ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy