SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્ર સ્થિત યોધ્યાસ: I શરૂ સૂત્રાર્થ - () તે અભ્યાસ અને વૈરાગ્યમાંથી ચિતૌ) ચિત્તની સ્થિરતાના નિમિત્ત (વા) જે પ્રયત્નચિત્ત પરિકર્મોનું ઉત્સાહથી અનુષ્ઠાન કરવાનું છે તે અભ્યાસ છે. ભાષ્ય અનુવાદ - સ્થિતી) અવૃત્તિ અલ્પ વૃત્તિવાળા (જેમાં રજોગુણી અને તમોગુણી વૃત્તિ શાન્ત થઈ ગઈ છે, ફક્ત સત્ત્વગુણની જ પ્રધાનતા છે)=સત્ત્વગુણ પ્રધાન ચિત્તની જે પ્રશાન્તવાદિતા=નિસ્તરંગ નદી પ્રવાહની માફક ચંચળતા રહિત પ્રશાન્તરૂપ બની રહેવું છે, તેને સ્થિતિ કહે છે ત્નિ) તે સ્થિતિને માટે ચિત્તની એવી દશા બનાવવા માટે જે પ્રભ=પ્રયાસ=પરાક્રમ અથવા ઉત્સાહ કરવાનો હોય છે, તે જ યત્ન છે (પ્યાસ )તે પ્રયત્ન કરવાની ઈચ્છાથી જે તેનાં સાધનોઃયમ, નિયમ આદિયોગાંગોનું મનુષ્ઠાનસેવન અથવા આચરણ કરવું એને અભ્યાસ કહેવાય છે. ભાવાર્થ - ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી ત્રિગુણાત્મક છે. અને એ ગુણોમાંથી કયારેક કોઈ પ્રબળ થઈ જાય છે, જયારે બીજા દબાયેલા રહે છે અને કયારેક બીજા ગુણ પ્રબળ થઈ જાય છે. તમોગુણ તથા રજોગુણ પ્રબળ થતાં મન વિક્ષિપ્ત દશામાં થવાથી યોગમાર્ગમાં બાધક થાય છે. અને સત્ત્વગુણ પ્રધાન થતાં મનમાં શુદ્ધિ (પવિત્રતા) તથા શાન્તિ રહે છે. એ સત્ત્વગુણ પ્રધાન દશાને સૂત્રમાં સ્થિતિ' શબ્દથી કહ્યો છે. તેને ચિત્તની એકાગ્રતા પણ કહી શકાય છે. એ સ્થિતિને બનાવી રાખવા માટે નિરંતર ઉત્સાહથી તેના સાધનોનું અનુષ્ઠાન (યોગાંગાનુષ્ઠાન)માં લાગી રહેવું, શિથિલતા ન આવવા દેવી તે જ અભ્યાસ કહેવાય છે. તે ૧૩ स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः ॥१४॥ સૂત્રાર્થ અને તે અભ્યાસ દીર્ઘકાળ સુધી, નિરંતર= લગાતાર અને સત્કારથી સેવન કરાયેલો દૃઢપૂમિ =સુદઢ થઈ જાય છે. અર્થાત્ અસ્થિર વૃત્તિપ્રવાહથી દબાતો નથી. ભાષ્ય અનુવાદ-તે લાંબા વખત સુધી કરેલો, નિરંતર નિયમપૂર્વક દરરોજ કરેલો અને સત્કારપૂર્વક અર્થાત તપા=સુખદુઃખ આદિ ધંધોને સહન કરતાં, વિર્વેવીર્યરક્ષા કરતાં, વિદ્યા વેદ આદિ સત્ય વિદ્યાનો અભ્યાસ કરતાં, શ્રદ્ધા = અને સત્યધારણ કરીને કરેલો સારવા= સુસેવિત અભ્યાસ પૂપિ= સુદઢ (સુસ્થિર) થઈ જાય છે. અને તે અભ્યાસ વ્યુત્થાન સંસ્કારોચંચળ વૃત્તિપ્રવાહથી જલદી દબાઈ જનારો નથી હોતો. ભાવાર્થ-જયારે યોગી મોક્ષમાર્ગ પર ચાલવા માટે અગ્રેસર થાય છે અને યોગ સાધનોનું શ્રદ્ધા તથા ઉત્સાહથી અનુષ્ઠાન પણ કરે છે, તે વખતે જન્મ-જન્માંતરના અનાદિ-સંસ્કાર પ્રબળ બાધક બનીને ઉપસ્થિત થતા રહે છે. તેમનો પ્રતિરોધ કરવાનું સરળ કાર્ય નથી. તેમનો મુકાબલો કરવા માટે યોગાભ્યાસીને સતત જાગ્રત,દઢતા, શક્તિ, વિદ્યા આદિ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy