SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાખ અનુવાદ – વિન્જ) એ વિકલ્પ વૃત્તિ પ્રમાણ વૃત્તિની ૩Tદી= અંતર્ગત નથી કે નથી તો વિપર્યયની અંતર્ગત ગણી શકાતી (માની શકાતી). (કારણ કે પ્રમાણ-વૃત્તિ યથાર્થજ્ઞાન છે અને વિપર્યય-વૃત્તિ સીપ (છીપ)માં ચાંદીનો ભ્રમ દૂર થવાથી સમાપ્ત થઈ જાય છે.) પરંતુ વિકલ્પ વૃત્તિમાં વસ્તુ ન હોવાં છતાં પણ શબ્દજનિતજ્ઞાનના પ્રભાવથી યુક્ત વ્યવહાર જોવામાં આવે છે. જેમ - (૧) ચૈતન્ય રૂપ સ્વરૂપમ = પુરુ૫ = જીવાત્માનું સ્વરૂપ ચેતનતા છે. જયારે ચેતનતા જ પુરુપ છે, ત્યારે અહીં કોને કોનાથી ભિન્ન કહેવાયું છે? (કેમ કે આ વાકયથી પુરુ૫ ચેતનતાનો સ્વામી છે એ સ્વ-સ્વામી-ભાવ પ્રકટ થઈ રહ્યો છે, અને વૃત્તિ છઠ્ઠી વિભક્તિ ભેદ વ્યવહારમાં થાય છે. જેમ - મૈત્રણ્ય : = ચૈત્ર નામના પુરુપની ગાય (અહીં ચૈત્ર નામનો પુરપ તથા ગાય બન્ને ભિન્ન ભિન્ન સત્તાત્મક વસ્તુઓ છે, બન્નેનો સ્વ-સ્વામી ભાવ સંબંધ છે. પરંતુ પુરુષ વૈતન્ય' આ વાકયમાં ચેતનતા પુરપથી ભિન્ન નથી. પરંતુ શબ્દ-જ્ઞાનના પ્રભાવથી વસ્તુ ન હોવા છતાં પણ જે શાબ્દિક જ્ઞાન થઈ રહ્યું છે, એ વિકલ્પવૃત્તિ છે. (૨) એ જ પ્રમાણે (અભેદમાં ભેદનું બીજું ઉદાહરણ) “ પ્રતિષિદ્ધ-વસ્તુ-ધર્મો નિય; પુરુષ : આ ઉદાહરણમાં પ્રતિષિા: =ાપુ પ્રત્યારે તા: વસ્તુનઃ = પટપટાઈમ મનસ પુરુષ જે પુરુપમાં ઘટપટ આદિ વસ્તુઓના ગંધ આદિ ધર્મોનો નિષેધ કર્યો છે. અને નિષ્ક્રિય = “ નિતા : fપા ચમત જ પુરુષ અર્થાત્ જેમાં બધી ક્રિયાઓનો અભાવ છે, તે પુરુપ છે (આ વાકયમાં પુરુપનાં બંને વિશે પણ એક એક વિકલ્પ વૃત્તિને ઉત્પન્ન કરે છે. કેમ કે ધર્મોનો અભાવ અને પરિણામ આદિ ક્રિયાનો અભાવ બન્નેય વસ્તુશુન્ય શાબ્દિક વ્યવહાર છે.) (૩) આ પ્રમાણે ઉતષ્ઠતિ ઘી : થાત, સ્થિત ફત'= બાણ અટકે છે. અટકશે, અટકી ગયું - આ ઉદાહરણમાં ત્રણેય કાળની ક્રિયાઓમાં ‘થા ધાતુનો ગતિ-નિવૃત્તિ અર્થ જ પ્રતીત થાય છે (યથાર્થમાં વનિષ્ઠ નિવૃત્તિયાગચ્છતિ, પતિ ની માફક નથી થતી. તેમ છતાં આ શાબ્દિક વ્યવહાર હોવાથી વિકલ્પવૃત્તિનું ઉદાહરણ છે.) (૪) તે જ રીતે અનુત્પત્તિ પુરુષ = પુરુપ ઉત્પત્તિધર્મના અભાવવાળ છે.” (આ ઉદાહરણમાં પુરુપમાં ઉત્પત્તિધર્મનો અભાવ પ્રતીત થઈ રહ્યો છે, પરંતુ અનુત્પત્તિધર્વત્ર પુરુષથી સંબદ્ધ કોઈ ધર્મ નથી. આ અભાવ નામનો ધર્મ પુરુપમાં શાબ્દિક હોવાથી વિકલ્પવૃત્તિ છે, તેનો જ લોકમાં વ્યવહાર છે. ભાવાર્થ - વસ્તુ ન હોવા છતાં પણ કોઈ શબ્દને સાંભળીને જે શાબ્દિક જ્ઞાન થાય છે, તેને વિકલ્પવૃત્તિ કહે છે. જેમ - આકાશનું ફૂલ, વંધ્યાનો પુત્ર, સસલાનાં શિંગડાં આદિ વિકલ્પવૃત્તિનાં જ ઉદાહરણ છે. આ વૃત્તિ પ્રમાણવૃત્તિની અંતર્ગત આવી શકતી નથી. કેમ કે પ્રમાણવૃત્તિમાં યથાર્થજ્ઞાન હોય છે, વિકલ્પવૃત્તિમાં નહીં. વિકલ્પવૃત્તિમાં વસ્તુનો સર્વથા અભાવ હોય છે. જયારે પ્રમાણમાં વસ્તુનો સદ્ભાવ હોવો જરૂરી છે. યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy