SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્તિ(યો. ૧૩૭) સૂત્રથી સ્પષ્ટ થાય છે કે જેઓ રાગ વગેરે ચિત્તના મળોથી – સાધના કરતાં કરતાં – મુક્ત થઈ ગયા છે, તેમની સંગતિ, તેમના ચરિત્રનું ચિંતન કરવાથી પણ મન સ્થિરતાને પ્રાપ્ત થાય છે. વેદમાં યોગનું સ્વરૂપ તથા પ્રયોજન युज्जान : प्रथमं मनस्तत्त्वाय सविता धिय : । ને વીગ્ય પૃથા મધ્યાગ્યરત્ II (યા. ૧૧/૧) અર્થ - (વિતા) ઐશ્વર્યની કામના કરવાવાળો મનુષ્ય ((તસ્વાવ) પરમેશ્વર આદિ પદાર્થોનાં વિજ્ઞાન માટે પ્રથમH) આદિમાં મન :) મનનાત્મક અન્તઃકરણની વૃત્તિને અને ઉધય:) ધારણાત્મક અંતઃકરણની વૃત્તિઓને પુજ્ઞાન: યોગાભ્યાસ અને ભૂગર્ભ વિદ્યામાં યુદ્ધ કરતો મને) પૃથ્વી આદિમાં વિદ્યમાન વિદ્યુતનાં (જ્યોતિ ) પ્રકાશને (નવી) નિશ્ચિત જાણીને પૃથિગ્યા) ભૂમિને ગપ્પામરત) બધી બાજુથી ધારણ કરે. ભાવાર્થ-જે પુરુપ યોગ વિદ્યા તથા ભૂગર્ભ વિદ્યાને પ્રાપ્ત કરવા ઈચ્છે તે યમ આદિ યોગ ક્રિયા કૌશલોથી અંતઃકરણને પવિત્ર કરીને તત્ત્વોના વિજ્ઞાનને માટે બુદ્ધિને લગાવીને અને તેમને ગુણ કર્મ સ્વભાવથી જાણીને તેમનો ઉપયોગ કરે. (દયાનંદ યુજાવેદ ભાષ્ય ભાસ્કરથી ઉદ્ધત) યુઝાન :) યોગસાધના કરતો મનુષ્ય તસ્વીય) તત્ત્વ અર્થાત્ બ્રહ્મજ્ઞાન માટે પ્રથમં મન ) જ્યારે પોતાના મનને પહેલાં પરમેશ્વરમાં યુક્ત કરે છે, ત્યારે (સવિતા) પરમેશ્વર તેમની ધિય) બુદ્ધિને પોતાની કૃપાથી યુક્ત કરી લે છે. (નેતિ :) પછી તેઓ પરમેશ્વરના પ્રકાશને નિશ્ચય કરીને (મધ્યમ) યથાવત ધારણ કરે છે. (fથળ્યા છે પૃથ્વીની મધ્યમાં યોગીનું આ પ્રસિદ્ધ લક્ષણ છે. (ઋ. ભૂ. ઉપાસના) શ્રી સ્વામી વેદાનંદજીએ આ મંત્રની વ્યાખ્યા ‘વો નષદ્' નામના પુસ્તકમાં (અ. ૧૧/૧-૮) મંત્રોની યોગદર્શનની સાથે ઉત્તમ સંગતિ લગાવતાં આ પ્રકારે કરી છે - “યોગદર્શનમાં યોગનું લક્ષણ (વો વિત્તવૃત્તિનિરોધ એ કહ્યું છે. ચિત્ત=અંતઃકરણની વૃત્તિઓનો નિરોધ યોગ છે. યોગદર્શનકારના આ વચનનું મૂળ છે (પ્રથમ ધિયઃ યુજ્ઞાન:) ફેલાયેલા=વિખરાએલા-અનેકાગ્ર-ચંચળ મન અને વૃત્તિઓને સમાહિત કરતો.....” “યોગનું શું પ્રયોજન છે? તેનું સમાધાન તસ્વીર આ એક શબ્દથી વેદે કરી દીધું છે. તત્વીય તત્ત્વને માટે અર્થાત્ વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવું હોય તો યોગનું અનુષ્ઠાન કરો. યોગદર્શનમાં યોગનું ફળ-નિરૂપણ કરતાં મહર્ષિ પતંજલિએ લખ્યું છે કે- ‘ત્રઢતમાં તત્ર પ્રજ્ઞા | (યો. ૧/૪૮) યોગ સાધના કરવાથી ઋતંભરા બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ઋતંભરાથી ઉત્પન્ન થનારું જ્ઞાન પરમ પ્રત્યક્ષ હોય છે, અને તે યોગનાં અનુષ્ઠાન સિવાય સંભવ નથી. માટે જેને પ્રકૃતિ-પુરુષના યથાર્થ જ્ઞાનની ઈચ્છા હોય તે યોગસાધના કરે. પરિશિષ્ટ ૩૬૯ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy