SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः ॥२७॥ સૂત્રાર્થ - (સંwારેષ્ય ) નિર્બળ થયેલા, સમાધિથી પૂર્વાનુભૂત સંસ્કારોના કારણે (છિદ્રષ) વિવેકજ્ઞાનના અભ્યસ્ત અને સત્ત્વ=પુરુપની ભિન્નતાના પ્રવાહમાં વહેનારા ચિત્તનું છિદ્ર = સમાધિથી ભિન્ન અવસરો પર પ્રિયાન્તરેTT) વિવેક જ્ઞાનથી જુદી પ્રતીતિઓ (હું છું, આ મારું છે, હું જાણું છું અથવા નથી જાણતો વગેરે) થતી રહે છે. ભાપ્ય અનુવાદ - વિવેકજ્ઞાનના અભ્યસ્ત અને સત્ત્વ-પુરુષ = ચિત્ત તથા આત્મતત્ત્વની ભિન્નતાના જ્ઞાનરૂપ પ્રવાહમાં વહેનારા ચિત્તનું, તેની વચ્ચે વચ્ચે (સંસ્કારવશ) પ્રિયાન્તરાળ) પ્રત્યયાત્તર = વિવેકજ્ઞાનથી ભિન્ન જ્ઞાન-હું છું (હું અમુક નામવાળ છે, અથવા યોગજ આદિ ઐશ્વર્યોથી સંપન્ન છું) અથવા આ મારું છે = હું આ સંપત્તિ વગેરેનો સ્વામી છું, અથવા હું જાણું છું, અથવા નથી જાણતો, વગેરે થતું રહે છે, એવું કયા કારણથી થાય છે? (તેનો ઉત્તર આ છે) (ક્ષયક વીનેગઃ પૂર્વસંખ્ય ) નાશ થયેલા = દગ્ધબીજોની જેમ થયેલા પૂર્વ = પૂર્વ અનુભવેલા સંસ્કારોના કારણે એવું (વિવેકજ્ઞાનવિરોધી) જ્ઞાન ઉત્પન્ન થતું રહે છે. ભાવાર્થ-યોગીનું ચિત્ત વિવેકજ્ઞાન પ્રાપ્ત થવાથી જયારે સત્વ=બુદ્ધિ અને ચેતનતત્ત્વની ભિન્નતા તરફ અગ્રેસર થાય છે, ત્યારે વચ્ચે વચ્ચે અર્થાત્ સમાધિથી જુદી દશામાં વ્યુત્થાન સમયના સંસ્કારોના કારણે બીજી પ્રતીતિઓ પણ ઉત્પન્ન થતી રહે છે. અર્થાત્ “હું અમુક સંપત્તિનો સ્વામી છું, આ મારું છે, હું એ જાણું છું અથવા નથી જાણતો'- આ પ્રકારની વૃત્તિઓ પેદા થવા લાગે છે. તેનું કારણ એ છે કે જે સંસ્કાર નિર્બળ પ્રાયઃ થઈ ગયા છે, તેમની પ્રવૃત્તિઓમાં કારણ થઈ જાય છે. યોગીએ આ સંસ્કારોનો નાશ કરવો પણ પરમ આવશ્યક છે, જેનો ઉપાય આગળના સૂત્રમાં (યો. ૪/૨૮)માં અવિદ્યા આદિ લેશોના નાશના ઉપાયો સમાન બતાવવામાં આવ્યા છે. અર્થાત્ એ સંસ્કારોના નાશને માટે પણ તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન વગેરે કરતા રહેવું જોઈએ. મારા હવે - આ પૂર્વસંસ્કારોનો નાશ કેવી રીતે થાય છે? हानमेषां क्लेशवदुक्तम् ॥२८॥ સૂત્રાર્થ - (GK) આ વ્યુત્થાન (સાધારણ) કાળના વિરોધી સંસ્કારોની વત્તેવિત) અવિદ્યા આદિ લેશોની સમાન (દાનમ) નિવૃત્તિ (૩વતમ્) કહેલી છે, એમ સમજવું જોઈએ. ભાષ્ય અનુવાદ - વિજોશવત) જે પ્રકારે અવિદ્યા આદિ ક્ષેશ બળેલાં બીજની માફક થઈને ઊગવામાં = ફલોન્મુખ થવામાં સમર્થ નથી થતાં, તે જ રીતે જ્ઞાન = વિવેકખ્યાતિ રૂપી અગ્નિથી બળેલા બીજભાવવાળા થઈને પૂર્વાર = વ્યુત્થાન (સાધારણ દશા) સમયના સંસ્કાર પ્રત્યયy: = વ્યુત્થાન સમયના જ્ઞાનોને ઉત્પન્ન કરનારા નથી હોતા અને વિવેકખ્યાતિ રૂપી જ્ઞાનના સંસ્કાર તો ચિત્તના મfધાર = ૩૫૪ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy