SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ચેતન શક્તિના પ્રકાશથી ચેતન સદશ સ્વરૂપને પ્રાપ્ત કરનારી તે વઢવૃત્તિ = ચિત્તવૃત્તિની મનુરિમાત્ર = અનુકરણાત્મકતાથી બુદ્ધિવૃત્તિથી = ચિત્તવૃત્તિથી વિશિષ્ટ = અભિન્ન સમાન જ જ્ઞાન વૃત્તિ કહેવાય છે, અને તેવી જ ચિત્તવૃત્તિની ચેતન શક્તિથી અભિન્નતા (સમાનતા) અન્યત્ર પણ કહી છે. વિ= ક્રાન્તદર્શી યોગી પુરુષ શાશ્વત્ બ્રહ્મની શોધ પાતાળલોકમાં, પર્વતોની ગુફાઓમાં, ઘોર અંધકારમાં અને સમુદ્રોની ક્ષ = ગંભીર તળેટીઓમાં નથી કરતા. બલ્ક ચેતન શક્તિથી વિશિષ્ટ = અભિન્ન બુદ્ધિવૃત્તિરૂપી ગુફામાં, કે જેમાં શાવત બ્રહ્મનિહિત (આવેલા) નિશ્ચિતરૂપથી ધારણ કરવામાં આવે છે, યોગીઓ તેમાં બ્રહ્મની અનુભૂતિ કરે છે. અને બીજાને જ્ઞાન કરાવે છે. ભાવાર્થ - ગયા સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે ચિત્ત સ્વપ્રકાશક નથી અને નથી બીજા ચિત્તથી જાણી શકાતું, તો તેનું જ્ઞાન કેવી રીતે થાય છે? તેનું સમાધાન આ સૂત્રમાં આપવામાં આવ્યું છે. પુરુષ સ્થિર રહેનાર, ચેતન, અપરિણામી તત્ત્વ છે. અને ચિત્ત જડ, પરિણામી છે. આ પુરુષ ચિત્તને કેવી રીતે પ્રકાશિત કરે છે? આ રહસ્ય જરૂરથી સમજવું જોઈએ નહીંતર ભ્રાન્તિની ઉત્પત્તિ જ થતી રહે છે. જો જેમ ચિત્ત વિષયાકાર થઈને વિષયોનું પ્રકાશક માનવામાં આવે છે. તે જ રીતે પુરુષ ચિત્તાકાર થઈને ચિત્તનો પ્રકાશક તથા જ્ઞાતા કહેવામાં આવે તો પુરુષ પણ પરિણામી કહેવાશે માટે જેમ વિષયોના પ્રકાશને માટે ચિત્ત ઈદ્રિયો દ્વારા વિષયાકાર થઈ જાય છે, એમ પુરુષ નથી થતો પરંતુ પુરુષ સાંનિધ્યમાત્રથી ચિત્તને પ્રકાશિત કરે છે, અને ચિત્તનો બોધ થાય છે. તે સમયે ચિત્તમાં પુરુષનું સાદેશ્ય આવે છે, પુરુષમાં કોઈપણ પ્રકારનું પરિણામ નથી થતું અને ચેતન પુરુષનો પ્રકાશ પડતાં ચિત્તની જે ચેતનવત (ચેતન જેવી) પ્રતીતિ થાય છે, તે જ તેની તદાકારાપત્તિ (તદાકાર થવું) છે અને વિવેકરહિત પુરુષ આ ચિત્તને જ દ્રષ્ટા ચેતન સમજવા લાગે છે. વાસ્તવમાં પુરુષ જદ્રષ્ટાછે, ચિત્ત નહીં, યોગી પુરુષ પરબ્રહ્મની શોધ પુરુષથી અભિન્ન પ્રતીત થનારી આજ બુદ્ધિવૃત્તિ (ચિત્તવૃત્તિ)રૂપી ગુફામાં કરે છે.રરા નોંધ - ચિત્તમાં પડતો એ પુરુષનો પ્રકાશ જ ચિત્તને ચેતન જેવું કરી દે છે. હવે - અને એટલા માટે આ સ્વીકાર કરવામાં આવે છે – કોપરક્તપિત્ત સર્વાઈન / રરૂ I સૂત્રાર્થ - (કોપરાનું દ્રષ્ટા જીવાત્મા, દશ્ય=વિષય એ બંનેથી ઉપરક્ત એમના ધર્મોથી યુક્ત અથવા તેમનાથી જોડાયેલું (ચિત્ત) ચેતન તથા અચેતન બધા વિષયોવાળું થઈ જાય છે. ભાષ્ય અનુવાદ -મન તો મંતવ્ય= જાણવા યોગ્ય (ય) ઘટ આદિ પદાર્થોથી ઉપરક્ત થઈ જાય છે. અને સ્વયં(પુરુષનો) વિષય હોવાથી વિષથીષદ્રષ્ટાપુરુષની સાથે પોતાની વૃત્તિથી જોડાઈ જાય છે, તે એ ચિત્ત જ ર = પુરુષ અને = ઘટ આદિ વિષયોથી કૈવલ્યપાદ उ४७ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy