SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્કાર્યવાદમાં કોઈપણ વસ્તુનો અભાવ કયારેય નથી થતો. જે પદાર્થ વર્તમાન અવસ્થામાં હોય છે તેનો ધર્મ ઉદિતરૂપમાં હોય છે, અને અતીતકાળમાં શાન્તરૂપ તથા ભવિષ્યકાળમાં અવ્યપદેશ્યરૂપમાં રહે છે. ૧૩ નોંધઃ બધાજ ભાવ પદાર્થોના છ વિકારો હોય છે ‘નાયતે, તિ, વિપરિતે, વર્ધત, અપક્ષીયતે વિનશ્યતિતિ (નિરુક્ત ૧/૨) અર્થાત્ પેદા થાય છે. વર્તમાન હોય છે, બદલાય છે, વધે છે, ઘટે છે અને નાશ થઈ જાય છે. આ જ પ્રકારે ધર્મોનાં વ્યક્તઅવ્યક્તરૂપોમાં પણ છે સામાન્ય રૂપો સમજવાં જોઈએ. હવે જયારે બધા જ પદાર્થો સત્ત્વ આદિ ગુણ રૂપ જ છે તો તે પદાર્થોમાં) શબ્દ એક છે, ઈદ્રિય એક છે, આ વ્યવહાર કેવી રીતે થાય છે? - परिणामैकत्वाद्वस्तुतत्त्वम् ॥१४॥ સૂત્રાર્થ - (ાવકત્વત) સત્ત્વ વગેરે ત્રણેય ગુણોનાં ગૌણ-પ્રધાન ભાવથી એક પરિણામ થવાથી વસ્તુતત્ત્વ૫) પરિણત પદાર્થોની એકતા સિદ્ધ થાય છે. ભાપ્ય અનુવાદ-પ્ર = પ્રકાશશીલ, ક્રિયા = પ્રવૃત્તિશીલ, સ્થિતિ = ગુરુત્વના કારણે સ્થિતિશીલ સત્ત્વ, રજસ, તમસ ગુણ પ્રાત્મક = વિષયોને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમનો જમાવ = ગ્રહણ કરનારી ઈદ્રિયરૂપમાં જે એક પરિણામ છે, તે કર્મેન્દ્રિય છે, તે અને ગુણોનું જે પ્રહરૂપ = વિષયરૂપથી ગૃહીત થવાની ક્ષમતા રાખવાવાળા છે, તેમના શબ્દ તન્માત્ર ભાવથી જે એક પરિણામ છે, તે શબ્દ વિષય છે. શબ્દ તન્માત્ર વગેરેની જે મૂર્તિ = કઠોરતા વગેરે રૂપો સમાન જાતીયતા છે, તેનું એક પરિણામ પૃથ્વી તન્માત્રાઓનો અવયવ છે અને તે પૃથ્વી પરમાણુઓનું એક મિત્ર (પૃથ્વી, ગાય, વૃક્ષ વગેરે) છે. આજ પ્રકારે બીજાં જળ આદિ ભૂતોમાં પણ (મૂર્તિ ધર્મને લઈને પૃથ્વીની જેમ) અર્થાત જળમાં સ્નેહ ધર્મ, અગ્નિમાં ઉણતા ધર્મ, વાયુમાં વહનશીલતા ધર્મ અને આકાશમાં અવકાશ આપવા રૂપ ધર્મોને લઈને એક સામાન્ય= સજાતીય જળ આદિ વિર = પરિણામનો પ્રારંભ સમજવો જોઈએ. ક્ષણિકવાદનું પ્રત્યાખ્યાન-વિજ્ઞાનથી વિસર = જુદા રહેનારા કોઈ અર્થ = સત પદાર્થ નથી પરંતુ અર્થવિસદર = સતવસ્તુથી ભિન્ન જ્ઞાન તો સ્વપ્ન વગેરેમાં કલ્પિતની માફક સત છે. આ પ્રકારે જે વ્યક્તિ સત વસ્તુનો તાપ = નિષેધ કરે છે, અને તેના અનુસાર સત પદાર્થ જ્ઞાનની પરિકલ્પના માત્ર જ હોય છે, સ્વપ્ન પદાર્થોની સમાન, વાસ્તવિક નહીં. આ પ્રકારે તે લોકો અપ્રમાણિક વિકલ્પિતજ્ઞાનના આધારે સત વસ્તુના સ્વરૂપને છોડીને વસ્તુના સતરૂપનું જ ખંડન કરે છે. સત્ વસ્તુ તો પોતાની મહિમાથી = લોક પ્રસિદ્ધ પ્રત્યક્ષ રૂપથી પોતાની સત્તાને ઉપસ્થિત કરાવવાના કારણે વિદ્યમાન છે. તે પ્રત્યક્ષ સવસ્તુનો પણ અપલાપ (નિષેધ) કરનારા લોકોની વાતો કેવી રીતે શ્રદ્ધા કરવા યોગ્ય હોઈ શકે છે? અર્થાત્ જાગ્રત દશામાં અનુભૂયમાન (અનુભવેલા) સત કૈવલ્યપાદ ૩૩૩ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy