SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાપક છે, તેની વૃત્તિ તેની સાથે અવશ્ય જ રહેશે. પછી તેનો સંકોચ તથા વિકાસ કેવી રીતે મનાશે ? માટે ઉપરની વ્યાખ્યા પ્રમાણે ચિત્તને વિભુ માનીને પણ તેને શરીરમાં એકદેશી જ માનવું યોગ્ય છે. આ વિષયમાં વેદ વગેરે શાસ્ત્રોનાં કેટલાંક પ્રમાણ નીચે પ્રમાણે લખ્યાં છે – (૧) હૃપ્રતિષ્ટ વનર વિષ્ટમ્ (યજુ. ૩૪/૬) આમાં મનનું સ્થાન હૃદયમાં બતાવ્યું છે. (૨) તમવાનુ મન: II (વૈશેષિક ૭/૧/૨૩) આકાશ વિભુ છે, તેનાથી વિપરીત મન અણુ માપવાળું છે. (૩) વિમુ જૈ મન કેન્દ્રિ: સંયુચત તા -વૃત્તિત્વયુIVર્મદાન? (ન્યાય. ૩/૨/૬). અર્થાત્ મન વિભુ નથી, તેનો ઈદ્રિયોથી પર્યાય થી જ સંયોગ થાય છે. (૪) (ક) અનુપરિમvi તfત કૃતેઃ || (સાંખ્ય. ૩/૧૪) મનની સિદ્ધિ શબ્દ પ્રમાણથી થાય છે, અને તે મન અણુ પરિમાણવાળું છે. (ખ) ન ચાપર્વ મનસ: રત્નત II (સાંખ્ય. પ/૬૫) અર્થાત્ મન એક કરણ (સાધન) છે, તેનું વ્યાપક હોવું સંભવ નથી. (૪) મહર્ષિ દયાનંદે પણ શાસ્ત્રો પ્રમાણે મનને સૂક્ષ્મ શરીરનું એક ઘટક માન્યું છે, અને જયારે સૂક્ષ્મ શરીર જ વ્યાપક નથી તો મન કેવી રીતે વ્યાપક હોઈ શકે ? અને શિવસંકલ્પના મંત્રના રેવF પદની વ્યાખ્યામાં મહર્ષિએ લખ્યું છે કે રેવન્=સેવે માત્માન મવF અર્થાત્ મન જીવાત્માની પાસે હૃદયમાં રહે છે. જેનો શરીરમાં એક સ્થાનમાં નિવાસ હોય તે વ્યાપક કદાપિ ન હોઈ શકે. (૬) ન્યાય દર્શનના વાસ્યાયન ભાષ્યમાં લખ્યું છે કે – “માત્મા મનના સંયુ મન રૂદ્રયેળ, રૂદ્રયHથૈન ' આત્માનો મનથી સંયોગ થાય છે, મનનો ઈદ્રિયથી અને ઈદ્રિયનો અર્થ (વિષય)થી. આ જ્ઞાન પ્રક્રિયાથી સ્પષ્ટ છે કે જેનો સંયોગ થાય છે, તે સંયોગ પહેલાં જુદું અવશ્ય રહે છે. જો મન વ્યાપક હોય તો ઈદ્રિયોથી સંયોગ કેવો? કેમ કે તે તો પહેલેથી જ ઈદ્રિયોથી સંયુક્ત હતું. વગેરે પ્રમાણોથી સ્પષ્ટ છે કે મન (ચિત્ત) વ્યાપક નથી બલ્ક અણ (એકદેશી) છે. અને તેની વૃત્તિ = વ્યાપારનો જ સમસ્ત ઈદ્રિયો વગેરે સાથે સંપર્ક થાય છે. વ્યાસ ભાષ્યમાં પ્રક્ષેપ - આ સૂત્રના વ્યાસ ભાગ્યમાં લખ્યું છે કે – 'दण्डकारण्यं च चित्तबलव्यतिरेकेण शरीरेण कर्मणा शून्यं कः कर्तुमुत्सहेत, समुद्रमगस्त्यवद्वा पिबेत् ।” તેની વ્યાખ્યા ટીકાકારોએ એ કરી છે કે ચિત્ત-બળ વિના ફક્ત શારીરિક બળથી કોણ દંડક વનને (ખર-દુષણ આદિ ચૌદ હજાર રાક્ષસોનો ક્ષય (નાશ) કરીને રાક્ષસોથી) શૂન્ય કરવાનો ઉત્સાહ (શ્રી રામચંદ્રજીની જેમ) કરી શકે છે. તથા કોણ કૈવલ્યપાદ ૩૨૭ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy