SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ બ્રહ્મવેત્તા યોગીને ભૂમિ આદિ સંપત્તિના સ્વામી દેવલોક તેમના સ્થાનો પર નિમંત્રિત કરે છે કે – ભગવન્! અહીં બેસો, અહીં રમણ કરો, આ અમારા દ્વારા પ્રસ્તુત ભોગ કામના કરવા યોગ્ય છે. એનાથી સ્પષ્ટ છે કે એ દેવ મનુષ્યોમાં જ વિશિષ્ટ - સ્તરવાળા હોય છે, મનુષ્યોથી જુદા અંતરિક્ષલોકમાં ફરનારાયોનિવિશેષ નહીં. નહીતર યોગાભ્યાસીને બોલાવવો, બેસાડવો તથા ભોગ્યવસ્તુઓની ભેટ કરવી વગેરે વાતો અસંગત જ થઈ જશે. [૪ = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] છે ૩૨ હવે - યોગ-પ્રાતિભ-જ્ઞાનનું ફળ - प्रातिभाद्वा सर्वम् ॥३३॥ સૂત્રાર્થ - (વા) અથવા (પ્રતિમત) યોગ પ્રતિભાથી ઉત્પન્ન અર્થાત્ ઉપદેશ વિના થયેલા જ્ઞાનથી (સર્વF) પૂર્વોક્ત બધું જ સિદ્ધજ જ્ઞાન થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - (પ્રતિમાનું) પ્રાતિજજ્ઞાનને તારક-જ્ઞાન પણ કહેવામાં આવે છે અર્થાત જે યોગીને વિવેક જ્ઞાન થતા પહેલાં ઉપદેશ વિના જ પોતાની પ્રતિભાથી ઉત્પન્ન થાય છે, તે વિવેકજ્ઞાનનું પૂર્વરૂપ હોય છે. જેમ કે- સૂર્યોદય થતાં તેનું જ્ઞાપકચિહન પ્રભા હોય છે. (તે જ રીતે વિવેકખ્યાતિથી પહેલાં પ્રાતિજજ્ઞાન થાય છે) આ પ્રાતિજજ્ઞાનની ઉત્પત્તિ થતાં યોગી બધું જ જાણી લે છે. ભાવાર્થ - પ્રાતિભ જ્ઞાન સૂર્યોદયના પ્રથમ જ્ઞાપક ચિન પ્રભાની સમાન છે. યોગીને જયારે વિવેકજ જ્ઞાન થવા લાગે છે, ત્યારે તે તેનું પ્રતિભજ્ઞાન સૂર્યપ્રભાની જેમ સર્વપ્રકાશક હોય છે. આ જ્ઞાન બાહ્ય નિમિત્તથી ન હોવાથી આંતરિક જ્ઞાન કહેવાય છે. વ્યાસ ભાગ્યમાં પ્રતિભજ્ઞાનને “તારકજ્ઞાન” કહ્યું છે. કે જે યોગીને ઉત્તરોત્તર યોગમાર્ગ પર ચાલતાં બાધાઓ અથવા ભ્રાન્તિઓથી પાર કરવાના કારણે તારકજ્ઞાન કહેવાય છે. સૂત્રમાં ‘સર્વન શબ્દ સાપેક્ષ છે. જેનું તાત્પર્ય પૂર્વોક્ત વિભૂતિઓથી છે. * પ્રાતિજ્ઞાનથી પૂર્વકથિત એક-એક સ્થાન પર કરેલા સંયમથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે બધી જ યોગીને પ્રાપ્ત થઈ જાય છે. [+ = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૩૩ છે હવે - હૃદયમાં સંયમ કરવાનું ફળ – હત્યવિરસંવિત / રૂ૪ સૂત્રાર્થ- (૨) હૃદય સ્થાનમાં સંયમ કરવાથી વિસંવત) ચિત્તનું જ્ઞાન થઈ જાય છે અર્થાત્ + ચિત્તનું શું સ્વરૂપ છે, તેની કેવી – કેવી પ્રવૃત્તિઓ છે, વગેરેનો બોધ યોગીને હૃદયમાં સંયમ કરવાથી થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - હિં) આ શરીરમાં જે આ બ્રહ્મ નગરમાં ગુપ્ત કમલ-ગૃહ છે તેમાં વિજ્ઞાન = જ્ઞાનનું સાધન ચિત્ત છે, તેમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય છે. ભાવાર્થ- ચિત્તને અંતઃકરણ કહે છે અને જીવાત્મા જે કંઈ કરવાની ઈચ્છા કરે છે, તે આ અંતઃકરણ દ્વારા જ કરે છે. જીવાત્માનું આ સાધન ચિત્ત, પરિચ્છિન્ન જીવાત્માની નજીક વિભૂતિપાદ ૨૭પ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy