SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને કંઠની નીચે ફૂપ= ગર્ણવિશેપ છે, તેને કંઠકૂપ કહે છે, તેમાં સંયમ કરવાથી ભૂખ અને તરસ યોગીને બાધિત નથી કરતા અર્થાત સતાવતાં નથી. ભાવાર્થ - શરીરમાં કંઠકૂપ કયાં છે ? તેના ઉત્તર વ્યાસભાપ્યમાં એ આપ્યો છે કે જીહ્વા (જીભ)ની નીચે સૂતરના જેવી એક નસ છે, તેની નીચે કંઠ છે, અને કંઠની નીચે જે ગર્તાકાર સ્થાન છે, તે કંઠકૂપ છે. યોગી જયારે એ સ્થાન પર સંયમ કરે છે, તો તેની ભૂખ તથા પ્રાસ (તરસ)ની નિવૃત્તિ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે દશ પ્રાણોમાં ઉદાન નામનો વાયુ કંઠકૂપમાં કાર્ય કરે છે. જે આપણે ભોજન વગેરે ખાઈએ છીએ, તેને એ વાયુ આમાશયમાં પહોંચાડે છે અને જયારે આમાશય ખાલી થઈ જાય છે, ત્યારે તેની ભૂખ-તરસરૂપે અનુભૂતિ એ જ ઉદાનવાયુ કરાવે છે. આ કંઠકૂપમાં સંયમ કરવાથી ઉદાનવાયુનું કાર્ય રોકાઈ જાય છે અર્થાત્ તેનો સ્પર્શ કંઠકૂપમાં ન થવાથી યોગીને ભૂખ-તરસ નથી લાગતી અને યોગી જ્યાં સુધી સંયમ કરવામાં સમર્થ હોય છે, ત્યાં સુધી ભૂખ તરસની ચિંતાથી મુક્ત રહે છે. [+ = આ સિદ્ધિ વિકલ્પ-કોટિ માં છે.] . ૩૦ હવે - કૂર્મનાડીમાં સંયમનું ફળ - નડિયાં શૈર્યન / રૂ? / સૂત્રાર્થ - (સૂર્યનાડયાન) કૂર્મ નાડીમાં સંયમ કરવાથી તીર્થ યોગીને સ્થિરતા પ્રાપ્ત થાય છે. ભાપ્ય અનુવાદ - કંઠ-કૂપની નીચે ૩f= છાતીમાં સૂÍાર = કાચબાના આકારવાળી એક નાડી છે તે કૂર્મનાડીમાં સંયમ કરનાર યોગી સ્થિરતાને પ્રાપ્ત કરી લે છે. જેમ – સર્વ = સાપ અને ઘા = ઘો સ્થિર થઈ જાય છે. ભાવાર્થ-કંઠકૂપથી નીચે છાતીમાં કૂર્મ-કાચબાના આકારની એક નાડી છે, તેને કૂર્મનાડી કહે છે. તેમાં સંયમ કરવાથી યોગીને સ્થિરતા=અશ્રુત સ્થિતિ પ્રાપ્ત થાય છે અને એ સ્થિરતા શારીરિક જ હોય છે. આ વાતને વ્યાસભાપ્યમાં સર્પ (સાપ) તથા ગોધા (ઘો)ના ઉદાહરણથી સ્પષ્ટ કરી છે. જેમ-સાપ અથવા ઘો સ્વેચ્છાથી પોતાના શરીરને સ્થિર કરી લે છે અર્થાત્ સાપની સ્થિરતા દરમાં બિલમાં) દાખલ થતાં જોઈ શકાય છે. બિલમાં (દરમાં) પ્રવેશ કરતો સાપ પર્યાપ્ત બળની સાથે ખેંચવાથી ખેંચી શકાતો નથી. અને ઘો નો પ્રયોગ દિવાલો પર તથા યુદ્ધના સમયે કિલ્લા વગેરે ઉંચા સ્થાનો પર ચઢવા માટે કરવામાં આવે છે. ઘો ના પગોમાં મજબૂત દોરડું બાંધીને કિલ્લાની દિવાલ પર ફેંકી દે છે અને પછી એ દોરડાના આશ્રયથી કિલ્લા પર યોદ્ધા લોકો ચઢી જાય છે. * સાપ તથા ઘોની માફક યોગી પુરપ પણ કૂર્મ નાડીમાં સંયમ કરવાથી શરીરને એટલું સ્થિર કરી લે છે કે જેનાથી કોઈ તેના શરીરને સ્થાનાન્તરિત અથવા અહીં-તહીં હલાવવામાં સમર્થનથી થતું. [+ = આ સિદ્ધિ પરીક્ષા-કોટિ માં છે.] ૧ ૩૧ | હવે - મૂર્ધાની જ્યોતિમાં સંયમનું ફળ – વિભૂતિપાદ ૨૭૩ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy