SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાસનો સમય પાણિનીથી પહેલાં હતો અને યોગસૂત્રકાર તેનાથી પણ પૂર્વવર્તી છે. (૨) યોગસૂત્ર પર મહર્ષિ-બાદરાયણ-વ્યાસનું ભાપ્ય મળે છે. અને બાદરાયણ-વ્યાસે મહાભારતની રચના કરી છે. એટલા માટે યોગસૂત્રોના ચયિતા મહાભારત પહેલાંના છે. (૩) વ્યાકરણ-મહાભાષ્યકાર મહર્ષિ પતંજલિનો કાળ રાજા પુણ્યમિત્રનો કાળ સિદ્ધ થાય છે. કેમ કે મહાભાગ્યમાં – “પુષ્યમત્રો વાતે, રૂદ પુષ્યમિત્ર યાજ્ઞયામ: (અ. ૩/૧૨૬ તથા અ. ૩/૨/૧૨૩) ઉદાહરણો મળે છે. જેનાથી તેમની સમકાલીનતા સિદ્ધ થાય છે. શુંગવંશીય પુષ્યમિત્ર મૌર્યવંશથી પાછળનો છે, જેનો કાળવિક્રમ સંવતથી લગભગ ૧૨૦૦ વર્ષ પહેલાંનો છે. (૪) અને ચરકસંહિતાનું મૂળ નામ આત્રેયસંહિતા છે. અને આત્રેય તક્ષશિલામાં રહેતા હતા. આત્રેયે અગ્નિવેશને ચરકનો ઉપદેશ કર્યો હતો. પતંજલિનો ઉલ્લેખ ચરક સંહિતામાં કયાંય નથી. એટલા માટે ચરકની રચના પણ પાછળની સિદ્ધ થાય છે. (૫) મહર્ષિ વેદવ્યાસે વેદાન્તસૂત્રો તથા મહાભારતની રચના કરી છે અને યોગસૂત્રો પર ભાષ્ય પણ કર્યું છે. એનાથી સ્પષ્ટ છે કે યોગદર્શનની રચના ત્રાસથી પહેલાંની છે અને વ્યાકરણ મહાભાપ્ય તથા ચરક સંહિતાની રચના ઘણા સમય પછી (લગભગ બે હજાર વર્ષ પછી) થઈ છે. માટે પાછળના ગ્રંથોની રચના પાછળના કોઈક પતંજલિની છે, કે જે યોગદર્શનકાર પતંજલિથી ભિન્ન છે.' (૬) જો એમ કહેવામાં આવે કે યોગ ભાષ્યકાર મહર્ષિ વ્યાસને જ મહાભારતકારથી ભિન્ન બીજા ત્રશપિ કેમ ન માનવામાં આવે? આ મતવાળા પોતાના મતની પુષ્ટિમાં આ હેતુ પણ આપે છે. કેમ કે યો. ૩૧૪-૧૫ તથા ૪/૧૪-૨૧ સૂત્રોના વ્યાસ ભાષ્યમાં વિજ્ઞાનવાદી બૌદ્ધમતનું ખંડન કરવામાં આવ્યું છે. માટે બૌદ્ધ મત પછીના જ વ્યાસ સિદ્ધ થાય છે. પરંતુ આ યુક્તિ બરાબર નથી જણાતી. તેનું કારણ એ છે કે વ્યાસ ભાગ્યમાં પૂર્વપક્ષના રૂપમાં વિજ્ઞાનવાદને રાખીને તેનું ખંડન કર્યું છે. ત્યાં કયાંય પણ બૌદ્ધોના નામનો નિર્દેશ નથી મળતો. બૌદ્ધોની માન્યતાની સમાનતાને લઈને કાળ નિર્ધારણ કરવાનું ન્યાય-સંગત નથી થઈ શકતું. કેમ કે પક્ષ-વિપક્ષ તો સદાય રહેતા આવ્યા હોય છે. (૭) શ્રી જે. એચ. વુડ઼સે મહર્ષિ વ્યાસનો સમય છઠ્ઠી શતાબ્દી પહેલાં નથી માન્યો. તેનું કારણ તેમણે એમ આપ્યું છે કે વ્યાસ-ભાગ્ય (યો. ૩/૧૩)માં * “શૂન્ય'નો ઉપયોગ કર્યો છે અને શૂન્ય પદ્ધતિનો પ્રયોગ વરાહમિહિરે છઠ્ઠી શતાબ્દીમાં કર્યો છે. પરંતુ આ માન્યતાનિરાધાર હોવાથી મિથ્યા છે. કેમકેસમસ્ત ગણિતજ્ઞોનો એ સર્વમાન્ય મત છે કે સંખ્યાઓનું સ્થાનીય માન તથા શૂન્યનો ઉપયોગ ભારતવર્ષમાં જ પ્રથમ આવિષ્કત થયો છે અને પ્રાપ્ત પ્રમાણોના આધાર પર પણ છઠ્ઠી શતાબ્દીથી પહેલાં શૂન્યનો ઉપયોગ મળેછે. (*=ાથેવારવા શતાને તંત્રશાસ્થાનેરા ) પ્રાકથન - ૨૧ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy